October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય એસ.યુ. પટેલ સહિતના આગેવાનોના અથાગ પ્રયત્‍નના કારણે થાલાનું તળાવ ગામનું બની રહેલું એક સુંદર નઝરાણું

(અહેવાલ : દીપક સોલંકી ચીખલી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.16: થાલામાં તળાવને કેટલાક વર્ષ પૂર્વે માજી સરપંચ મુકેશભાઈ પટેલના ફરજકાળ દરમ્‍યાન ઊંડું કરવામાં આવ્‍યું હતું. અને આ વીશાળ તળાવમાં આજે ભર ઉનાળે વિશાળ માત્રામાં પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ હોય આસપાસના બોર કૂવામાં પણ પાણીના સ્‍તર જળવાઈ રહ્યા છે. તળાવને ઊંડું કરવા સાથે સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય એસ.યુ.પટેલ (સોલધરા) સહિતના આગેવાનોએ તળાવની પાળનો વિકાસ કરવા બીડું ઝડપ્‍યું હતું અને જેમાં પ્રોટેક્‍શન વોલ, પેવર બ્‍લોક, તળાવમાં બેસવાની વ્‍યવસ્‍થા સહિતના કામો કરવામાં આવ્‍યા હતા અને તળાવની પાળે મોટાપાયે ગુલ મોહર, ચંપો જેવા ફુલછોડો અને બારેમાસ લીલાછમ રહેતા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્‍યું હતું.
થાલા તળાવની પાળે માત્ર વૃક્ષા રોપણ કરીને સંતોષ ન માની એસ.યુ.પટેલ, ભાજપના મહામંત્રી સમીરભાઈ, પૂર્વ સરપંચ મુકેશભાઈ સહિતનાઆગેવાનો દ્વારા આ ફૂલછોડ, વૃક્ષોનો ઉછેર માટે સમાયતરે સાફ સફાઈ જરૂરી ખાતર, પાણી પણ જાતે પૂરૂં પાડી માવજત કરવામાં આવતા આજે સમગ્ર તળાવની રોનક બદલાઈ જવા પામી છે. ગુલમોહરના રંગેબેરંગબી ફૂલોથી તળાવની પાળ શોભી ઉઠી છે. બીજી તરફ તળાવમાં પાણીની લહેર સાથે ફૂંકાતા ઠંડા પવનને પગલે સમગ્ર વાતાવરણ આહ્‌લાદક બનવા પામ્‍યું છે અને આસપાસના અનેક લોકોને નિરાંતની પળો માણવા, આરામ ફરમાવવા, વોકિંગ કરવાનું સ્‍થળ બની જવા પામ્‍યું છે. આમ તળાવના વિકાસ માટે એસ.યુ.પટેલ સહિતના આગેવાનો નો પ્રકળતિ પ્રત્‍યેનો પ્રેમ અને મહેનત રંગ લાવી છે.

Related posts

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જાડાયા

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-૧માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

Leave a Comment