Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

સર્વોદય સોસાયટીનો યુવક તળાવમાં ન્‍હાવા ગયો હોવાની થઈ ઓળખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: પારડી શાકભાજી માર્કેટ પાસે ઐતિહાસિક તળાવના ઉંડા પાણીમાં આજે શનિવારના સવારે એક યુવકનો પાણીમાં તરતો મૃતદેહ દેખાઈ આવતા પાલિકાના માજી સભ્‍ય દિલિપભાઈ, કિર્તીભાઈ તથા પાલિકાના સેનેટરી વિભાગના સુપરવાઈઝર પંકજભાઈ સહિત સ્‍થાનિક લોકો દોડી જઈ પારડી પોલીસ સાથે ફાયરની ટીમને જાણ કરતા બંને ટીમો ઘટના સ્‍થળે દોડી આવી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્‍યો હતો. મૃતક યુવક પારડી શાકભાજી માર્કેટ ખાતે સર્વોદય સોસાયટીમાં રહેતો જયકુમાર અશોકભાઈ માહ્યાવંશી ઉવ 23 હોવાની ઓળખ થવા પામી છે.
જય ગત શુક્રવારના રોજ નોકરી ઉપરથી ઘરે પહોંચી માતા ભૂમિના બેનને પોતાનો મોબાઈલ ફોનઅને પોતાના પૈસા આપી તળાવમાં ન્‍હાવા જાવ છું કહી ઘરેથી નીકળ્‍યા બાદ મોડી રાત સુધી ઘરે આવ્‍યો ન હતો. આજે મળેલ લાશ જયની જ હોવાની ખાતરી થતા પારડી પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઐતિહાસિક તળાવ ઊંડું કરવામાં આવ્‍યું છે અને અગાઉ તળાવ ફરતે ન્‍હાવા અને તરવા જવાની મનાઈ હોવાના બોર્ડ મૂકવામાં આવ્‍યા હતા. હાલ આવા બોર્ડ ન દેખાતા માજી સભ્‍ય દિલિપભાઈએ પારડી ચીફ ઓફિસર અને વહીવટદારને ફરીથી આવા બોર્ડ તળાવ ફરતે લગાવવા જેથી આવા બનાવ બનતા રોકી શકાય.

Related posts

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

દાનહના ખાનવેલ રેસ્‍ટ હાઉસમાં આયોજીત દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં દાનહના થયેલા સર્વાંગી વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બતાવેલી સંતુષ્‍ટિ

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

વાપીમાં નવો રેલવે બ્રિજ બનવાનો હોવાથી એસ.ટી. ડેપોને બલીઠા હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે સંચાલન કરાશે

vartmanpravah

Leave a Comment