Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

જી20 વિશે જાણકારી આપતું પ્રદર્શન યુવાનો અને વિદ્યાર્થીઓમાં બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવવા તેમજ જી20માં ભારતની યાત્રા અંગે લોકોને જાણકારી આપવા માટે દીવ ખાતે જી20 સચિવાલય દ્વારા એક માહિતીપ્રદ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે. દીવમાં આવેલ એજ્‍યુકેશન હબ કેમ્‍પસ ખાતે આયોજિત આ પ્રદર્શન આવનાર 25 મે સુધી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્‍યું છે.
વર્ષ 2014 થી 2022 સુધીનાવિશ્વભરમાં આયોજિત થયેલ જી20 સમિટના કાર્યક્રમો અંગે સચોટ અને ટૂંકમાં માહિતી આપતું આ પ્રદર્શન તમામ જી20 સમિટમાં ભારતના યોગદાન અને મહત્‍વને લોકો સુધી પહોંચાડવામાં કારગત નીવડી રહ્યું છે. અગાઉના આ તમામ જી20 કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીજી દ્વારા વિશ્વને વૈશ્વિક સમસ્‍યાઓના નિરાકરણ અંગે અપાયેલ સૂચનો અને માર્ગદર્શનને ટાંકતું આ પ્રદર્શન ખાસ કરીને યુવાનો તેમજ વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે.
વર્તમાન સમયમાં ભારત જી20ની અધ્‍યક્ષતા કરી રહ્યું છે ત્‍યારે અત્‍યાર સુધીમાં દેશભરમાં આયોજિત થયેલ જી0 સમિટ અંગેના ટૂંકા ચિતાર સાથે પ્રદર્શનના મુલાકાતીઓને જી20 વિશે મહત્‍વની જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. સાથે જ વિદ્યાર્થીઓ અને યુવાનોની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા જી20 વિશે જાણકારી આપતી પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહત્‍વનું છે કે, દીવ ખાતે આયોજિત આ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ઘણું જ આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે. મુલાકાતીઓ આ પ્રદર્શનની મુલાકાત લઈ જી20 અંગે જાણકારી સાથે માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે.

Related posts

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

જય અંબે થાણાપારડી યુવક મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની પાંચમી સિઝનમાં દેહરીની ટીમ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી દાદરા

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક મળી

vartmanpravah

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

સેલવાસમાં રોહિત સમાજ દ્વારા રક્‍તદાન અને તબીબી તપાસ શિબિર યોજાઈ: 500થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભઃ 165 યુનિટએકત્રિત કરાયેલું રક્‍ત

vartmanpravah

Leave a Comment