Vartman Pravah
Breaking Newsદમણદેશ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્‍તા મજીદ લધાણીની ઓલ ઈન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ

16 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ મુંબઈ ખાતે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્‍પીકર રાહુલ નાર્વેકરના અતિથિ વિશેષ પદે યોજાયેલું ‘ઓલ ઈન્‍ડિયા મેમણ જમાત ફેડરેશન(એઆઈએમજેએફ’નું રાષ્ટ્રીય અધિવેશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : ઓલ ઈન્‍ડિયા મેમણ જમાત ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન 16 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ હજ હાઉસ, મુંબઈ ખાતે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્‍પીકર શ્રી રાહુલ નાર્વેકરના અતિથિ વિશેષ પદે આયોજિત કરવામાં આવ્‍યું હતું.
અત્રે આયોજીત સંમેલનમાં વિવિધ પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. જેમાં શ્રી ઈકબાલ ઓફિસરને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્‍યા હતા. આ નિમણૂક તેમની ત્રીજી ટર્મ માટે બિનહરીફ કરવામાં આવી હતી.
એક દિવસીય અધિવેશન બાદ નવનિયુક્‍ત પ્રમુખ શ્રી ઈકબાલ ઓફિસરે પોતાની રાષ્ટ્રીય ટીમની પુનઃ રચના કરતી વખતે સમગ્ર મેમણ સમાજના સંગઠનનારાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે દમણના શ્રી મજીદ લધાણીની નિમણૂક કરી હતી.
શ્રી ઇકબાલ ઓફિસરની અગાઉની બે ટર્મ દરમિયાન શ્રી મજીદ લધાણીને વલસાડ જિલ્લાના ઝોનલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્‍યો હતો, જે હાલમાં ચાલુ રહેશે અને હવે આ સાથે તેમને રાષ્ટ્રીય પ્રવક્‍તાનો ચાર્જ પણ સોંપવામાં આવ્‍યો છે.
ઓલ ઈન્‍ડિયા મેમણ જમાત ફેડરેશન એ દેશભરમાં 550 મેમણ જમાતનું સમૂહ સંગઠન છે. મેમણ સમુદાયની દેશભરમાં અંદાજે 16 લાખની વસ્‍તી છે અને લગભગ 550 મેમણ જમાત ભારતના વિવિધ રાજ્‍યો અને પ્રાંતોમાં કાર્યરત છે. શ્રી ઇકબાલ ઓફિસરના નેતૃત્‍વ હેઠળ આ સંસ્‍થા દેશવ્‍યાપી સમાજ સેવાના કાર્યોમાં વાર્ષિક દસ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે અને દર વર્ષે આ બજેટમાં વધારો થતો રહે છે.
અત્રે યાદ રહે કે, ઓલ ઈન્‍ડિયા મેમણ જમાત ફેડરેશન માત્ર મેમણ સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવ સમુદાય માટે કામ કરી રહ્યું છે. કુદરતી આફતો માટે તેમની પોતાની ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્રણાલી છે જે સતત કામ કરે છે. આમ ઓલ ઇન્‍ડિયા મેમણ જમાત ફેડરેશન શ્રી ઇકબાલ ઓફિસરના નેતૃત્‍વમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને આગળ રાખીને ઘણી સમાજ સેવાઓ કરી રહ્યું છે.

Related posts

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

દાનહના ચકચારી રૂા.30 લાખના નકલી ક્રિપ્‍ટો કરન્‍સી પ્રકરણમાં કેરળથી ત્રીજા આરોપીની ધરપકડ

vartmanpravah

દમણના સી.જે.એમ. સિનિયર ડીવીઝન અને કો-મેમ્‍બર સેક્રેટરી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને દમણવાડા ખાતે કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment