(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: ડાભેલ ગામે આવેલ કેવડી ફળિયાના સરસ્વતી માતા મંદિરનો બીજો પાટોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી. આ દરમિયાન વહેલી સવારમાં હવન, યજ્ઞ સાથે પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યં હતું. જેમાં મોટી સંખ્યામાં ગામજનો અને સરસ્વતી માતાના ભક્તો જોડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતના વાપી નગરપાલિકાની હદની વચ્ચે આવેલ ડાભેલ અને ચલા કેવડી ફળિયા ખાતે સરસ્વતી માતાનું મંદિર આવેલ છે. આ મંદિરમાં સ્થાનિક લોકો તથા બહારગામથી આવતા લોકો ભારે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક પણ ધરાવે છે જે મંદિરનો આજે બીજો પટોઉત્સવની ઉજવણી મંદિર પરિસર ખાતે કરવામાં આવી હતી. જેમાં હવન યજ્ઞ માટેઆચાર્ય ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાજીની પાલખીયાત્રા સમગ્ર ગામના દરેક ફળિયામાં ફરી પરત મંદિર ખાતે પહોંચી હતી અને અંતમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તો દ્વારા લેવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડાભેલ કેવડી ફળિયાના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.