Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વાપીમાં યોગ સંવાદ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વાપીની આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં તાલુકા કક્ષાની યોગ સંવાદ બેઠકનું આયોજન થયું હતું, ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓર્ડીનેટર નિલેશ કોસીયાની અધ્‍યક્ષતામાં અને સ્‍કૂલના પ્રિન્‍સિપાલ ડો.રિચા શાહ અને વિમલભાઈ ચૌહાણના મુખ્‍ય મહેમાન તેમજ વાપી તાલુકાના યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકોની ઉપસ્‍થિત યોગ સંવાદ બેઠક યોજાઈ હતી.
યોગ ટ્રેનર સુહાની નાયકા દ્વારા યોગ નિર્દેશન કરવામાં આવ્‍યું ત્‍યારબાદપ્રાસંગિક ઉદ્વબોધન ડો.રિચા શાહ દ્વારા કરવામાં આવ્‍યું હતું. યોગના પ્રચાર માટે અને યોગના કાર્ય માટે સ્‍કૂલ અને મેનેજમેન્‍ટ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવા જણાવ્‍યું હતું, જ્‍યારે વિમલભાઈ ચૌહાણ દ્વારા યોગ બોર્ડના કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવા વચન આપ્‍યું હતું. ડિસ્‍ટ્રિક્‍ટ કો- ઓર્ડિનેટર નિલેશ કોસીયા દ્વારા યોગ કોચ અને યોગ ટ્રેનરની ફરજ અને આદર્શ યોગ શિક્ષક બનવાના કાર્ય વિશે સંપૂર્ણ માહિતી આપી ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના કાર્યને ખૂબ જ ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લાને યોગના કાર્યમાં શ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે તેમજ વધુમાં વધુ નિઃશુલ્‍ક યોગ ક્‍લાસ શરૂ થાય એવુ આયોજન કરવા જણાવ્‍યું હતું.
યોગ સંવાદ બેઠકનું આયોજન સિનિયર યોગ કોચ શીતલબેન ત્રિગોત્રાએ કર્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું એન્‍કરિંગ કિરણબેન દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

કપરાડા માંડવા પાસે સ્‍કૂલ બસના ડ્રાઈવર ઉપર ટ્રક ફળી વળતા સારવારમાં કરુણ મોત

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment