(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: અગામી 22 ડિસેમ્બરના ઐતિહાસિક શુભ દિને અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા દેશ આખો થનગનાટ અનુભવી રહ્યો છે. ભારતભરનાઅગ્રણીઓને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે તે અનુક્રમે વાપી, સલવાવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. કપિલ સ્વામીજીને પણ સત્તાવાર ભાવભર્યું આમંત્રણ મળ્યું છે. આ ઉપરાંત વાપીમાં હવેલીવાળા સ્વામીજીને પણ આમંત્રણ મળ્યું છે. વલસાડ જિલ્લામાંથી 4 લોકોને આમંત્રણ મળ્યું છે.