ગણપતિ મહોત્સવ દરમિયાન ભવ્ય સુંદર કાંડ પાઠ પઠન, ગરબા મહોત્સવ તથા મહાપ્રસાદનું પણ કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દર વર્ષની માફક આ વર્ષે પણ નાની દમણના ‘કુંભારવાડ ચા રાજા’ ગણપતિ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બનશે. 19મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે ગણપતિ સ્થાપના બાદ સાંજે સુંદર કાંડના પાઠના પઠનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાંજે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.
શુક્રવાર તા.22મી સપ્ટેમ્બરે સાંજે 8:00 વાગ્યે ગરબા સ્પર્ધા અને શનિવાર તા.23મી સપ્ટેમ્બરના રોજ સાંજે 4:00 વાગ્યા બાદ વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ‘કુંભારવાડ ચા રાજા’ ગણપતિ મહોત્સવના આયોજક શ્રી સુરેશભાઈ નારણભાઈ ઓડ, સાંઈ એન્ટરપ્રાઈઝિસ અને તેમના પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ પ્રયાસ શરૂ કર્યા છે.