Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03 : સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ, કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આજે કોલેજ પરિસરમાં આપદા પ્રબંધન અંગેની તાલીમ આપી હતી. આ તાલીમ શિબિર સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા યોજાઈ રહી છે. જેમાં તા.3થી 14 ફેબ્રુઆરી, 2023 સુધી યોજાશે. જેમાં પૂરમાં બચાવકાર્ય, આગ લાગવાના સમયે કેવી રીતે બચવું વગેરે જેવી આપદાથી(મુશ્‍કેલીના સમયે) બચાવ અને તેના વ્‍યવસ્‍થાપન અંગેની જાગૃતિ હેતુ એનડીઆરએફની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમમાં મોકડ્રિલ, ક્ષમતા નિર્માણ કાર્યક્રમ અને જન જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે શિક્ષણ સંસ્‍થાઓમાં આપદાથી બચાવ માટે શાળા અને કોલેજમાં પણ એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
દાનહ જિલ્લા આપદા વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણ છઠ્ઠી એનડીઆરએફ વડોદરાના સમન્‍વયમાં આ પ્રશિક્ષણ શિબિર આયોજીત કરવામાં આવીરહી છે. જે સંદર્ભે આજે સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ, કોલેજ ઓફ કોમર્સ અને સાયન્‍સના પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે પણ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વડોદરાથી આવેલ એનડીઆરએફની છઠ્ઠી બટાલિયનના નિષ્‍ણાત અને અનુભવી ટીમ દ્વારા સીપીઆર, ગળામાં ફસાયેલ બાહરી વસ્‍તુને કાઢવાની રીત, શારીરિક ઈજાને હાસ્‍પિટલ પહેલાંની સારવાર, તાત્‍કાલિક સ્‍ટ્રેચર તૈયાર કરવું, લિફિટંગ અને મુવિંગની રીત, અગ્‍શિમન અને આગથી બચાવની ટેકનીક, દોરીથી બચાવની ટેકનીક, ઈમ્‍પ્રોવાઇઝડ ફલોટિંગ ડિવાઇસ બનાવવા, સડક સુરક્ષા, હીટ સ્‍ટ્રોકથી બચવા, જાગૃતતા વગેરે બાબતોની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્‍યાન કોલેજના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અન્‍ય કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.
આ અવસરે કોલેજના પ્રિન્‍સિપાલ ડો.સીમા પિલ્લાઈએ એનડીઆરએફનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે એનડીઆરએફ દ્વારા આયોજીત જાગૃતતા કાર્યક્રમ ઘણો શિક્ષણપ્રદ છે. આ કાર્યક્રમથી પ્રશિક્ષણ કેન્‍દ્રના વિદ્યાર્થી અને શિક્ષકો લાભાન્‍વિત થશે, તેઓ આપદા દરમ્‍યાન પોતાને અને અન્‍ય લોકોના જીવનને પણ બચાવવામાં સહયોગ આપી શકશે.
તાલીમ કાર્યક્રમ દરમિયાન લાયન્‍સ ક્‍લબ ઓફ સિલ્‍વાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફતેહસિંહચૌહાણ, એનડીઆરએફના કમાન્‍ડેટ શ્રી વી.વી.એન.પ્રસન્ના, અને નિરીક્ષક શ્રી ભરત કુમાર મોર્ય તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત એનડીઆરએફના જવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ પોલીસે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો

vartmanpravah

ભારત સરકાર રાજ્‍ય સરકારો સાથે મળીને આજથી ચલણ પ્રોત્‍સાહન યોજના ‘મેરા બિલ, મેરા અધિકાર’નો શુભારંભ કરશે

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના હસ્‍તે ‘3ડી ઓપન લોન ટેનિસ ટૂર્નામેન્‍ટ’નું ઉદ્દઘાટન કરાયું

vartmanpravah

આહવામાં પાર તાપી રિવરલીંક યોજના વિરુદ્ધ જાહેરસભા બાદ રેલીમાં હજારો આદિવાસીઓ ઉમટયા: પાર તાપી રિવરલીંક યોજનાનો વિરોધ પૂર્વ આદિવાસી પટ્ટી વિસ્‍તારમાં જોર પકડી રહ્યો છે

vartmanpravah

દાનહ પોલીસે સેલવાસના એક વ્‍યક્‍તિની માર મારી હત્‍યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

vartmanpravah

Leave a Comment