February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

કાંતિભાઈ પટેલ હંમેશા દાનહના ગામડેથી આવતા આદિવાસી બાંધવોના જીવનપર્યંત એક માર્ગદર્શક રહ્યા હતા
આજે સવારે 9 વાગ્‍યે સ્‍મશાન યાત્રા નિકળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલીની રાજનીતિના અભ્‍યાસુ અને કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિમાં રહ્યા વગર સમાજ ઘડતરનું કાર્ય કરનારા શ્રી કાંતિભાઈ એમ. પટેલનું આજે ટૂંકી માંદગી બાદ નિધન થતાં તેમના વિશાળ શુભેચ્‍છકો, મિત્રો, સગાં-સંબંધીઓ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
સ્‍વ. કાંતિભાઈ એમ. પટેલને રાજનીતિજ્ઞ તરીકે બહુ ઓછા લોકો જાણતા હતા. તેઓ દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓની દિશાવિહિન રાજનીતિથી ખુબ જ દુઃખી હતા. તેમણે 2009ની ચૂંટણીમાં તત્‍કાલિન સાંસદ શ્રી નટુભાઈ પટેલને વિજેતા બનાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી જેની જાણકારી સંભવતઃ શ્રી નટુભાઈ પટેલને પણ નહીં હશે.
સ્‍વ. કાંતિભાઈ એમ. પટેલ ‘વર્તમાન પ્રવાહ’ના પણ એક ફ્રેન્‍ડ ફિલોસોફર અને ગાઈડ હતા. તેઓ હંમેશા સમાજલક્ષી સકારાત્‍મક પત્રકારત્‍વના આગ્રહી હતા. તેમનું વાંચન પણ વિશાળ હતું. છેવાડેના ગામડેથી આવતાં આદિવાસી બાંધવો માટે તેઓ એક માર્ગદર્શક હતા. જે વાતની જાણકારી બહુ ઓછાને હશે. કારણ કે,તેઓ હંમેશા કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ વગર સમર્પિત બનીને કામ કરતા હતા.
સ્‍વ. કાંતિભાઈ એમ. પટેલ પોતાની પાછળ ધર્મપત્‍નિ નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સુશીલાબેન પટેલ, પુત્ર શ્રી દર્શન પટેલ અને બે દિકરી સહિત વિશાળ ચાહક વર્ગને વિલાપ કરતા છોડી ગયા છે.
સ્‍વ. કાંતિભાઈ એમ. પટેલની સ્‍મશાન યાત્રા આવતી કાલ તા.12 જૂન, 2023ના સોમવારના રોજ સવારે 9:00 વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાન, સેલવાસ કોમ્‍પલેક્ષ, હોટલ વિનસની બાજુમાં ટોકરખાડા, દાન હોટલની પાછળથી નિકળવાની હોવાની જાણકારી પરિવારજનો દ્વારા આપવામાં આવી છે.

Related posts

ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને કારણે સરકારના લાખો રૂપિયા એળે જવાની સર્જાય રહેલી ભીતિ

vartmanpravah

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

વાપી લવાછામાં 50 ફૂટ ઊંચી પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું મહામુસીબતે રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

દમણઃ ડાભેલ સ્‍થિત બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્‍યક્‍તિ દ્વારા ગેરકાયદે કરેલા બાંધકામને હટાવવા કલેક્‍ટરને રાવ : દમણ જિલ્લા કલેક્‍ટરશ્રીને 500થી વધુ નાગરિકોની સહી સાથેનું આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા રૂા ૧૯.૩૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૬૬ કે. વી. વીજસ્‍ટેશનનું ભૂમિપૂજન કરતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment