February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રધાનમંત્રીશ્રીનું રી-ટ્‍વીટઃ સરાહનીય પ્રયાસ, શ્રેષ્‍ઠ પરિણામ..! પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં લક્ષદ્વીપ ખાતે ચાલી રહેલ વિકાસલક્ષી પ્રોજેક્‍ટ ‘ન્‍યુટ્રી ગાર્ડન’ની કરેલી સરાહના

‘આત્‍મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત લક્ષદ્વીપમાં શાકભાજી અને ફળોના ઉત્‍પાદનનો આરંભઃ પ્રશાસકશ્રીના કઠોર પરિશ્રમ ઉપર પ્રધાનમંત્રીશ્રીની મહોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.11 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શનિવારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ચાલી રહેલ વિકાસલક્ષી પ્રોજેક્‍ટ ‘ન્‍યુટ્રી ગાર્ડન’ પ્રોજેક્‍ટની સરાહના કરી હતી અને પ્રશાસકશ્રીના ટ્‍વીટને રી-ટ્‍વીટ કરી જણાવ્‍યું હતું કે, ‘સરાહનીય પ્રયાસ, બહેતર પરિણામ.’
પ્રધાનમંત્રીશ્રીએ પોતાના ટ્‍વીટમાં આગળ જણાવ્‍યું હતું કે, લક્ષદ્વીપના લોકો નવી ચીજ શીખવા અને અપનાવવા માટે કેટલા ઉત્‍સાહિત છે તે આ પહેલ દ્વારા દેખાયું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં લક્ષદ્વીપ ખાતે ‘આત્‍મનિર્ભર ભારત’ના વિકાસના ઉદ્દેશ માટે ‘ન્‍યુટ્રી ગાર્ડન’ પરિયોજના શરૂ કરવામાં આવી છે. જેમાં 1000 જેટલા ખેડૂતોને શાકભાજીના બિયારણ અને છોડ ઉપલબ્‍ધ કરવામાં આવ્‍યા છે. જેનાકારણે પ્રદેશમાં તાજી શાકભાજીની આપૂર્તિમાં વધારો થયો છે. જેમાં લક્ષદ્વીપની મહિલાઓ વધુ લાભાન્‍વિત થઈ રહી છે.
લક્ષદ્વીપમાં શરૂ કરાયેલા ‘ન્‍યુટ્રી ગાર્ડન’ પ્રોજેક્‍ટમાં પ્રગતિશીલ ખેડૂતોને કેરી, જામફળ, ચીકુ, લીંબુ, કેળાં, પપૈયા, આમળા જેવા ફળો અને ટામેટાં, મરચાં, ચોળી, રીંગણ, ભીંડા જેવી શાકભાજીઓના બિયારણ અને છોડ મફતમાં વિતરીત કરાયા હતા. લક્ષદ્વીપના દરેક દ્વીપોમાં કાળા મરી જેવા મસાલાને પણ ટ્રાયલના રૂપમાં સામેલ કરાયા છે.
અત્રે નોંધનીય છે કે, લક્ષદ્વીપની મોટાભાગની શાકભાજીની જરૂરિયાતો પડોશી રાજ્‍યોથી પુરી કરવામાં આવે છે. જે શાકભાજી અને ફળો તાજા પણ નથી રહેતા. કારણ કે, તેના અવાગમનમાં જ લગભગ પાંચ દિવસનો સમય પુરો થાય છે. તેથી આ પડકારનો સામનો કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ પ્રશાસને ‘ન્‍યુટ્રી ગાર્ડન’ પ્રોજેક્‍ટના માધ્‍યમથી પહેલાં વર્ષે લક્ષદ્વીપના દરેક 10 દ્વીપોમાં બિયારણની કીટ અને ફળો, શાકભાજી અને મસાલાના પણ લગભગ 15000 જેટલા ગુણવત્તાયુક્‍ત છોડોનું વિતરણ કરાયું છે. હવે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોના ફળસ્‍વરૂપ લક્ષદ્વીપના લોકોને પ્રદેશમાં જ તાજી શાકભાજી અને ફળોનો લાભ મળતો થશે.

Related posts

15થી 18 વર્ષના યુવાનો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સાનો કરેલો સંચાર

vartmanpravah

સોમવારની મોડી રાત્રે અથાલ દમણગંગા નદીના પુલ પરથી યુંવાને ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ નદીમાંથી બહાર કાઢી બચાવ્‍યો: યુવકની સ્‍થિતિ નાજૂક હોવાના કારણે આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડાના ઓઝર અને કાકડકોપર ગામમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા આવી પહોંચી

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

Leave a Comment