Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્‍તાર ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારોમાં વધતા જતા ધર્માંતરણ અને નક્‍સલવાદની ઘટનાઓ અંગે કપરાડાના વડોલીના સ્‍થાનિક આગેવાનોએ વલસાડ કલેક્‍ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. જેનાથી ભારતના વડાપ્રધાન, રાજ્‍યના મુખ્‍યપ્રધાન અને રાજ્‍યના ગૃહરાજ્‍ય પ્રધાનને આવેદનપત્રની નકલો મોકલી કાર્યવાહીની માંગણી કરી છે. વલસાડ વિભાગ જિલ્લા ધરમજાગરણ વિભાગના પ્રમુખ પરિમલ ગરાસીયાના આગેવાનીમાં સ્‍થાનિક વડોલીના અગ્રણીઓ ઉત્તમભાઈ, ચેન્‍દરભાઈ સહિત મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રામદાસ રામુ ગહલા, કાશીનાથ શૈલી પાહુ, મંગળુ રાજારામ ગાંવિત, નવરાતી ગોપાલ ગાંવિત, દશરથ ગોપાળ ગાંવિત, સુમિત્રા રામો ગાંવિત અને સીતારામ રામદાસ ગહલા એ ગેરકાયદેસર 6 દેવળો (ચર્ચો) બનાવી સ્‍થાનિક કક્ષાએ ધર્માંતરણ કરી રહેલા છે તેમજ નક્‍સલવાદી પ્રવૃત્તિઓ કરી રહેલા છે. જેની સામે કડક અને મક્કમ કાર્યવાહીની માગણી કરેલ છે. આવેદનપત્રમાં જણાવ્‍યા અનુસાર આ લોકો હિન્‍દુઆદિવાસી સમાજના કાર્યક્રમોની વિરૂધ્‍ધ કાર્યવાહી, ઝગડો ઉભો કરતાં હોય છે તેમજ આખા ગામને ખ્રિસ્‍તી બનાવવાની વાતો કરે છે.

Related posts

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરેઃ પરિણામ 2જી નવેમ્‍બરે

vartmanpravah

દમણ જિ.પં.ના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન પટેલે મોદી સરકારના બજેટને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં હવે જાહેર જનતા માટે ઉદ્યાન, પાર્ક વગેરે પણ ખુલી રહ્ના છે અને પ્રદેશના બીચ અને બીચ રોડ વીક ઍન્ડ શનિ-રવિ અને જાહેર રજાને છોડતાં બાકીના તમામ દિવસોઍ ખુલ્લા રહેશે.

vartmanpravah

Leave a Comment