July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્‍તાર ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારોમાં વધતા જતા ધર્માંતરણ અને નક્‍સલવાદની ઘટનાઓ અંગે કપરાડાના વડોલીના સ્‍થાનિક આગેવાનોએ વલસાડ કલેક્‍ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. જેનાથી ભારતના વડાપ્રધાન, રાજ્‍યના મુખ્‍યપ્રધાન અને રાજ્‍યના ગૃહરાજ્‍ય પ્રધાનને આવેદનપત્રની નકલો મોકલી કાર્યવાહીની માંગણી કરી છે. વલસાડ વિભાગ જિલ્લા ધરમજાગરણ વિભાગના પ્રમુખ પરિમલ ગરાસીયાના આગેવાનીમાં સ્‍થાનિક વડોલીના અગ્રણીઓ ઉત્તમભાઈ, ચેન્‍દરભાઈ સહિત મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રામદાસ રામુ ગહલા, કાશીનાથ શૈલી પાહુ, મંગળુ રાજારામ ગાંવિત, નવરાતી ગોપાલ ગાંવિત, દશરથ ગોપાળ ગાંવિત, સુમિત્રા રામો ગાંવિત અને સીતારામ રામદાસ ગહલા એ ગેરકાયદેસર 6 દેવળો (ચર્ચો) બનાવી સ્‍થાનિક કક્ષાએ ધર્માંતરણ કરી રહેલા છે તેમજ નક્‍સલવાદી પ્રવૃત્તિઓ કરી રહેલા છે. જેની સામે કડક અને મક્કમ કાર્યવાહીની માગણી કરેલ છે. આવેદનપત્રમાં જણાવ્‍યા અનુસાર આ લોકો હિન્‍દુઆદિવાસી સમાજના કાર્યક્રમોની વિરૂધ્‍ધ કાર્યવાહી, ઝગડો ઉભો કરતાં હોય છે તેમજ આખા ગામને ખ્રિસ્‍તી બનાવવાની વાતો કરે છે.

Related posts

કેન્‍દ્રીય મંત્રી ફગ્‍ગનસિંઘ કુલાસ્‍તેએ દાનહ લોકસભા બેઠક માટે 2024ની તૈયારીની કરેલી સમીક્ષાઃ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથેકરેલું મનન-મંથન

vartmanpravah

વાપી ગીતાનગર રહેણાંક વિસ્‍તારમાં કુટણખાનુ ઝડપાયું : સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવ્‍યો

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

75માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં વાપી કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્‍સીસ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

vartmanpravah

‘અબકી બાર 400 કે પાર’: મિશન-2024નો દમણથી પ્રદેશ ભાજપે કરેલો પ્રારંભ = દમણ-દીવની લોકસભા બેઠક 40 હજાર કરતા વધુ મતોની સરસાઈથી જીતવા લક્ષ્યાંક

vartmanpravah

Leave a Comment