April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ

ડોક્‍ટર રાજેન્‍દ્ર ફડકે, સચ્‍ચિદાનંદ પોખરીયાલ સહિત દિગ્‍ગજ નેતાઓ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: રાષ્‍ટ્રવાદી સંગઠન સેલ્‍યુટ તિરંગા દ્વારા સોમવાર તા.19 જૂન 2023 ના રોજ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સલવાવ ગામે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ ખાતે આ રાષ્‍ટ્રીય કક્ષાનો સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના નેશનલ કન્‍વીનર ડોક્‍ટર રાજેન્‍દ્ર ફડકેજી ચીફ ગેસ્‍ટ તરીકે ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે સ્‍વાગત પ્રવચન પૂજ્‍ય કપિલ સ્‍વામીજીએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. સેલ્‍યુટ તિરંગા સંગઠનના નેશનલ પ્રેસિડેન્‍ટ રાજેશ ઝા એ પોતાના જોશીલા પ્રવચનમાં સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સના કાર્યકાર્મને સમગ્ર રાષ્‍ટ્રમાં લાગુ કરી 5 લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની ઘોષણા કરી હતી.
આ સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગપ્રસંગે ચીફ ગેસ્‍ટ તરીકે ભારત સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના નેશનલ કન્‍વીનર ડોક્‍ટર રાજેન્‍દ્ર ફડકે ઉપસ્‍થત રહ્યા હતા. તેમણે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું કે 2014 પહેલા બેટી બચાવો બેટી પઢાવો જેવો કોઈ દેશમાં વિષય જ નહોતો પરંતુ પોતે ગુજરાતમાં 2002 માં પ્રભારી તરીકે કામ કરતા હતા અને મુખ્‍યમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદી સત્તા ઉપર હતા ત્‍યારે તેમણે જોયું હતું કે મુખ્‍યમંત્રી પોતે કન્‍યાઓને શાળાએ મોકલવા અપીલ કરે શાળા પ્રવેશ ઉત્‍સવ ઉજવી કન્‍યાનો હાથ પકડી શાળા સુધી દોરી જાય તેમને ભેટ આપે તે પછી મોદીજી 2014 માં વડાપ્રધાન બન્‍યા અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન દેશ વ્‍યાપી બનાવી દીધું. 2014 પછી દેશમાં કન્‍યાઓનો સેક્‍સ રેસીયામાં સુધારા થયાના આંકડા પણ તેમણે રજુ કર્યા હતા. તેમણે જણાવ્‍યું કે, ‘‘બેટી નહિ હોગી તો બહુ કહાશે લાઓગે”ના સૂત્ર સાથે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન વ્‍યાપક બનાવ્‍યું. સાથે જન જમીન જંગલના સૂત્રના બદલે બેટી, જન અને વનના સૂત્રને અપનાવવા અપીલ કરી. કન્‍યા જન્‍મોત્‍સવની આપીલ કરી હતી.
અતિથિ વિશેષ પદે ઉતરાખંડના માજી મંત્રી અને સંગઠનના નેશનલ સેક્રેટરી સચ્‍ચિદાનંદ પોખરીયાલએ જણાવ્‍યું કે, સેલ્‍ફ ડિફેન્‍સનો કાર્યક્રમ વિશેષ છે. તેમણે પોતાનીસાહિત્‍યિક ભાષાની વ્‍યંજના સાથે સામો બાંધ્‍યો હતો. પુર્વ એમ.એલ.એ. અને એન.એસ.જી. કમાન્‍ડો સંગઠનના નેશનલ વાઈસ પ્રેસિડેન્‍ટ સુરેન્‍દ્ર સિંગ દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સનું મહત્‍વ સમજાવી એન.એસ.જી. કમાન્‍ડો તરીકેના કાર્યકાળનો અનુભવ રજૂ કરી મુંબઈ તથા અક્ષરધામ ઉપર આતંકી હુમલા વખતના સ્‍મરણો તથા કારગીલ યુદ્ધ વખતના સ્‍મરણો વાગોળ્‍યા હતા.
આ પ્રસંગે વાઈસ પ્રેસિડેન્‍ટ રામ સ્‍વામી (ગાંધીનગર), વાઈસ પ્રેસિડેન્‍ટ ભાનુ સ્‍વામી, વાઈસ પ્રેસિડેન્‍ટ રાજેશ દુગ્‍ગડ, વાઈસ પ્રેસિડેન્‍ટ પ્રતિભા દેસાઈ, નેશનલ કાઉન્‍સેલર રામ સ્‍વામી (વાપી), ગુજરાત પ્રભારી સંપત સારસ્‍વત, બેટી બચાવો બેટી પઢાવો ગુજરાત પ્રેસિડેન્‍ટ ડો.શૈલેષ લુહાર, વિમલ ચૌહાણ, ડો.સચિન નારખેડે, હરિશ પટેલ, નયનાબેન ચુડાસમા, હર્ષવર્ધન, અમિત મોડક (ઈન્‍ટરનેશનલ યંગેસ્‍ટ ટ્રેનર), નયન મકવાણા, ઉત્તમભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિધ્‍ધ થયાને એક વર્ષ થવાને આરે છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

શાળા પ્રવેશોત્‍સવ અને ઉત્‍કૃષ્‍ટ શૈક્ષણિક પર્યાવરણની અસરથી સંઘપ્રદેશમાં હવે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળી રહેલા વિદ્યાર્થીઓઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment