September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: પારડીના પોણીયાગામે સ્‍કૂલ ફળિયામાં રહેતો અનેકલસર ગામે આવેલી જેકશન કંપનીમાં નોકરી કરતો કેતન જશુંભાઈ પટેલ ઉવ 39ની પત્‍ની બે દિવસ અગાઉ તેની બે વર્ષીય દીકરીને લઈ પિયર ગઈ હતી. જે પરત ગત શુક્રવારના રોજ ઘરે આવી હતી. બીજી તરફ કેતન નાઈટ શીપમાં નોકરી કરતો હોય અને તે સવારથી ઘર બહાર પોતાની બાઇક નંબર જીજે-15-બીએલ-8407 લઈ નીકળ્‍યા બાદ તે સાંજે નાઈટ શીપમાં નોકરી ઉપર જવાના સમયે પણ ઘરે ન આવતા તેની પત્‍નીએ દિયર લતેશને કેતન સવારથી ઘરે આવ્‍યો ન હોવાનું જણાવતા લતેશ અને કાકાનો છોકરો કૌશિક આજુ બાજુ વિસ્‍તારમાં શોધખોળ કરવા નીકળતા તેની બાઇક પોણીયા ગંગાજી રોડ નવા ફળિયા ખાતે રોડની બાજુમાં મળી આવતા બાજુમાં આવેલી નગીન આહીરની વાડીમાં શોધખોળ કરતાં કેતન આંબા વાડીમાં આંબાના ઝાડની ડાળી સાથે નાઈલોન દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્‍યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફળિયાના અન્‍ય લોકો પણ વાડી ખાતે ધસી આવ્‍યા હતા અને પારડી પોલીસને જાણ કરવામાં આવતા પારડી પોલીસ સ્‍ટેશનના બીટ જમાદર કંચનભાઈ ઠાકરે ઘટના સ્‍થળે પહોંચી અને મૃત દેહને નીચે ઉતારી પારડી સીએચસી ખાતે પી. એમ રૂમ માટે લઈ ગઈ હતી. જોકે કેતને કયાં કારણસર આપઘાત કર્યો તે બહાર આવ્‍યું નથી ત્‍યારે પારડી પોલીસપીએમ કરાવડાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સ્‍વભાવે પ્રેમાળ અને શાંત એવા કેતને આપઘાત કરી લેતા પોણીયા પંથકમાં શોક સાથે ચિંતાનું મોજું ફરી વળવા પામ્‍યું છે.

Related posts

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

vartmanpravah

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

Leave a Comment