Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

ગ્રામજનોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્‍યવસાય કરવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.27
ચીખલી તાલુકાના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાનીપશુપાલન શિબિરમાં પશુપાલન વિભાગની સહાયકારી યોજનાઓની જાણકારી સાથે વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્‍યવસાય કરવા અનુરોધ કરાયો હતો.
જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા તાલુકાની દૂધ ઉત્‍પાદક મંડળીઓના સયુંકત ઉપક્રમે મલિયાધરામાં સિંચાઈ-પશુપાલન સમિતિના અધ્‍યક્ષ શ્રી પરિમલભાઈ, બાંધકામ અધ્‍યક્ષ શ્રી દિપાબેન પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાવિત, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ શ્રી વૈભવભાઈ બારોટ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી બાલુભાઈ પાડવી, સેજલબેન, રમીલાબેન, તાલુકા સભ્‍ય દક્ષાબેન રમીલાબેન હળપતિ સરપંચ રેખાબેન સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ તાલુકા કક્ષાના પશુ પાલન શિબિર કમ પ્રદર્શન તાલીમમાં મોટી સંખ્‍યામાં પશુપાલકો ઉપસ્‍થિત રહ્યા હતા.
શિબિરમાં તજજ્ઞો અને મહાનુભવો દ્વારા પશુ આહાર, પશુ સંવધન, પશુ માવજત, પશુ આરોગ્‍ય તેમજ પશુ પાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે વિસ્‍તુતમાં માહિતી આપવામાં આવી હતી.
વધુમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે પશુ પાલનનો વ્‍યવસાય કરવા પર ભાર મૂકી પ્રાકળતિક ખેતી સાથે પશુપાલન કરી ઓછા ખર્ચ વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
પશુપાલન શિબિરમાં નાયબ પશુપાલન નિયામલ ડો.એમ.સી.પટેલ, તજજ્ઞડો.ડી.બી.ઠાકોર, ડો. હર્ષિલ ઠાકોર, ડો.યોગેશ પટેલ, ડો. વી.વી.ઓઝા સહિતના ઉપસ્‍થિત રહી પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. શિબિરને સફળ બનાવવા ચીખલી પશુ દવાખાનાના ડો. કલ્‍પેશભાઈ ઉપરાંત પશુ ધન નિરીક્ષક શ્રી ઉમેદભાઈ ભુસારા સહિતના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

vartmanpravah

કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ

vartmanpravah

ઉમરગામ પાલિકાના વિકાસની રફતાર તેજ

vartmanpravah

વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનોનોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

Leave a Comment