Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

ગ્રામજનોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્‍યવસાય કરવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.27
ચીખલી તાલુકાના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાનીપશુપાલન શિબિરમાં પશુપાલન વિભાગની સહાયકારી યોજનાઓની જાણકારી સાથે વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્‍યવસાય કરવા અનુરોધ કરાયો હતો.
જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા તાલુકાની દૂધ ઉત્‍પાદક મંડળીઓના સયુંકત ઉપક્રમે મલિયાધરામાં સિંચાઈ-પશુપાલન સમિતિના અધ્‍યક્ષ શ્રી પરિમલભાઈ, બાંધકામ અધ્‍યક્ષ શ્રી દિપાબેન પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાવિત, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ શ્રી વૈભવભાઈ બારોટ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી બાલુભાઈ પાડવી, સેજલબેન, રમીલાબેન, તાલુકા સભ્‍ય દક્ષાબેન રમીલાબેન હળપતિ સરપંચ રેખાબેન સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ તાલુકા કક્ષાના પશુ પાલન શિબિર કમ પ્રદર્શન તાલીમમાં મોટી સંખ્‍યામાં પશુપાલકો ઉપસ્‍થિત રહ્યા હતા.
શિબિરમાં તજજ્ઞો અને મહાનુભવો દ્વારા પશુ આહાર, પશુ સંવધન, પશુ માવજત, પશુ આરોગ્‍ય તેમજ પશુ પાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે વિસ્‍તુતમાં માહિતી આપવામાં આવી હતી.
વધુમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે પશુ પાલનનો વ્‍યવસાય કરવા પર ભાર મૂકી પ્રાકળતિક ખેતી સાથે પશુપાલન કરી ઓછા ખર્ચ વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
પશુપાલન શિબિરમાં નાયબ પશુપાલન નિયામલ ડો.એમ.સી.પટેલ, તજજ્ઞડો.ડી.બી.ઠાકોર, ડો. હર્ષિલ ઠાકોર, ડો.યોગેશ પટેલ, ડો. વી.વી.ઓઝા સહિતના ઉપસ્‍થિત રહી પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. શિબિરને સફળ બનાવવા ચીખલી પશુ દવાખાનાના ડો. કલ્‍પેશભાઈ ઉપરાંત પશુ ધન નિરીક્ષક શ્રી ઉમેદભાઈ ભુસારા સહિતના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

Related posts

લક્ષદ્વીપના બંગારામ ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah

સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિન નિમિત્તે સેલવાસની લાયન્‍સ અંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ‘‘નશા મુક્‍ત ભારત અભિયાન” હેઠળ એન.સી.સી. કેડેટ્‍સ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

સરીગામ જીઆઇડીસી અને પ્રદૂષણ એકબીજાના બની રહેલા પર્યાય : કરજગામ નજીક એન્‍જિનિયરિંગ ઝોનમાં ખુલ્લામાં છોડવામાં આવેલું કલરયુક્‍ત પ્રદૂષિત પાણી

vartmanpravah

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment