Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ ગીતાસદનમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્‍લની દેવી ભાગવત કથામાં આજે મહાકાળી પ્રાગટય ઉત્‍સવ ઉજવાયો હતો. મુખ્‍ય યજમાન અલ્‍કાબેન તુલસીભાઈ ઢીમ્‍મરના હસ્‍તે મહાકાળી માતાજી પારણું ઝૂલાવાયું હતું. અપૂર્વે જીગ્નેશભાઈ ધીયાં, કમલેશભાઈ માલકર દ્વારા આઠમો નવચંડી યજ્ઞ સંપન થયો હતો. કથાના આયોજક લક્ષ્મીબેન બારોટ, શારદાબેન ટંડેલ દવારા સુવિધ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
પ્રફુલભાઈ શુક્‍લએ કહ્યું હતું કે, રક્‍તબીજ અસુરને મારવા માટે માતાજીએ મહાકાળી રૂપ ધારણ કર્યું છે. સમાજમાં જ્‍યારે આંસુરી શક્‍તિ વધે છે ત્‍યારે જગદંબા મહાકાળી રૂપ ધારણ કરીને અસુરોનો નાશ કરે છે.
જય ભવાની જય મહાકાળી ના નાદ સાથે અબીલ ગુલાલની છોલો વચ્‍ચે મહાકાળી પ્રાગટય ઉત્‍સવ ઉજવાયો હતો. બાળ કથાકાર યશુબા બારોટ ચંદ બારોટની સ્‍તુતિ ગાઈ હતી. બાપુના સંગીતકારો દીપકભાઈ બારોટ, ચંદ્રકાન્‍ત રાણા, હરેશભાઈ જાની, અને પ્રતિકભાઈ પટેલ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી. હેમાલીબેન ભુપેન્‍દ્રભાઈ ટંડેલ દ્વારા ઉત્‍સવ વંદના કરાઈ હતી. સોમવારે દેવી ભાગવત કથા અને અષાઢી નવરાત્રી અનુષ્ઠાનને વિરામ આપવામાં આવશે. માન સરોવર હોટેલવાળા મહેન્‍દ્રભાઈ અગ્રવાલ તરફથી મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. મંગળવારે સવારે 10 વાગ્‍યાથી કૈલાસ રોડ પર સાંઈલીલાહોલમાં ગોપી ગીત ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે.

Related posts

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્‍થિતિમાં તા.18 અને 19મી ઓગસ્‍ટે દમણની સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટ ખાતે યોજાશે ભાજપની બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ

vartmanpravah

પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી વલસાડ સિવિલમાં ઓપરેશન કરી બહાર કઢાયુ

vartmanpravah

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

Leave a Comment