October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડના ગીતાસદનમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્‍લની 845મી દેવી ભાગવત કથાને આજે હર્ષોલ્લાસ સાથે વિરામ આપવામાં આવ્‍યો હતો. બાળ કથાકાર યેશુબા બારોટની પ્રથમ કથાને વિરામ અપાયો હતો. આજે નવમો નવચન્‍ડી યજ્ઞ પુનિત શર્મા તથા શારદાબેન ટંડેલના હસ્‍તે સંપન્ન થયો હતો. મુખ્‍ય યજમાન અલ્‍કાબેન તુલસીભાઈ ઢીમ્‍મર દ્વારા પૂજ્‍ય બાપુ અને ભૂદેવોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આયોજક લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટને સાફો પહેરાવી માતાજીની તલવાર આપીને વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અષાઢી અનુસ્‍થાનને વિરામ આપતાં પ્રફુલભાઈ શુક્‍લએ કહ્યું હતું કે, અખિલ બ્રહ્માંડ નિઅધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છે. માઁ બધાને સુખ-શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. સ્‍વ. સાગર તુલસીભાઈ ઢીમ્‍મરને કથાનું પુણ્‍ય અર્પણ કરવામાં આવ્‍યું હતું.માનસરોવર હોટેલવાળા મહેન્‍દ્રભાઈ અગ્રવાલ તરફથી મહા પ્રસાદ આપવામાં આવ્‍યો હતો. કથામાં સહભાગી બનનારા દાતા ઓ અને ગીતા સદનના પદાધિકારીનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

ચીખલી વંકાલના દીપકભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્ચાર્જ તરીકે નિમણૂક થતાં કાર્યકરોમાં છવાયેલો આનંદ

vartmanpravah

એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાનીએ સંભાળેલો વિધીવત ચાર્જ

vartmanpravah

દાનહમાં 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સેલવાસના નક્ષત્ર વન ઉલ્‍ટન ફળિયાની મુખ્‍ય ગટર નજીક બિલ્‍ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ઉભી કરશે

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

Leave a Comment