March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

હવેવરસાદની મોસમ શરૂ થઈ હોવાથી ભરણી કરવું લગભગ સંભવ જણાતું નથી ત્‍યારે આ ખોદાણને કોર્ડન કરી તે તરફ કોઈ વાહન કે રાહદારી નહીં આવે તેવી વ્‍યવસ્‍થા કરવા બુલંદ બનેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
તસવીર-અહેવાલ : રાહુલ ધોડી દમણ, તા.27
મોટી દમણના મગરવાડા 6 રસ્‍તાથી ભામટી તળાવ ફળિયાના મુખ્‍ય માર્ગ ઉપર રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદકામની ભરણી નહીં થતાં ચોમાસામાં જાનલેવા અકસ્‍માત સર્જાવાની ભીતિ પેદા થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયાના મુખ્‍ય માર્ગ ઉપર ભીમ તળાવને અડી રસ્‍તાના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં વરસાદ દરમિયાન પાણી ભરાવાના કારણે રોડ અને ખોદાણ વાહનચાલકો તથા રાહદારીઓને નજરે નહીં પડશે. આ રસ્‍તા ઉપર સ્‍ટ્રીટ લાઈટ પણ નથી. જેના કારણે અગામી દિવસોમાં વરસાદના સમયે આ રસ્‍તા ઉપરથી જાનના જોખમે પસાર થવું પડે એવી સ્‍થિતિ પેદા થઈ છે.
અત્રે નોંધનીય છે કે, હવે વરસાદની મોસમ શરૂ થઈ હોવાથી ભરણી કરવું લગભગ સંભવ જણાતું નથી. ત્‍યારે આ ખોદાણને કોર્ડન કરી તે તરફ કોઈ વાહન કે રાહદારી નહીં આવે તેવી વ્‍યવસ્‍થા કરવી જોઈએ એવી આમલાગણી પ્રવર્તી રહી છે.

Related posts

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

વલસાડ ખડકી ભાગડાના ઈસમના બે ચેક બાઉન્‍સ થતા કોર્ટે રૂા.12.30 લાખ ભરી દેવા હૂકમ કર્યો

vartmanpravah

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ પર થાર (જીપ) ચાલકે ઉભેલા યુવક અને કારને ટક્કર મારી થયો ફરાર

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment