April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

હવેવરસાદની મોસમ શરૂ થઈ હોવાથી ભરણી કરવું લગભગ સંભવ જણાતું નથી ત્‍યારે આ ખોદાણને કોર્ડન કરી તે તરફ કોઈ વાહન કે રાહદારી નહીં આવે તેવી વ્‍યવસ્‍થા કરવા બુલંદ બનેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
તસવીર-અહેવાલ : રાહુલ ધોડી દમણ, તા.27
મોટી દમણના મગરવાડા 6 રસ્‍તાથી ભામટી તળાવ ફળિયાના મુખ્‍ય માર્ગ ઉપર રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદકામની ભરણી નહીં થતાં ચોમાસામાં જાનલેવા અકસ્‍માત સર્જાવાની ભીતિ પેદા થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયાના મુખ્‍ય માર્ગ ઉપર ભીમ તળાવને અડી રસ્‍તાના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં વરસાદ દરમિયાન પાણી ભરાવાના કારણે રોડ અને ખોદાણ વાહનચાલકો તથા રાહદારીઓને નજરે નહીં પડશે. આ રસ્‍તા ઉપર સ્‍ટ્રીટ લાઈટ પણ નથી. જેના કારણે અગામી દિવસોમાં વરસાદના સમયે આ રસ્‍તા ઉપરથી જાનના જોખમે પસાર થવું પડે એવી સ્‍થિતિ પેદા થઈ છે.
અત્રે નોંધનીય છે કે, હવે વરસાદની મોસમ શરૂ થઈ હોવાથી ભરણી કરવું લગભગ સંભવ જણાતું નથી. ત્‍યારે આ ખોદાણને કોર્ડન કરી તે તરફ કોઈ વાહન કે રાહદારી નહીં આવે તેવી વ્‍યવસ્‍થા કરવી જોઈએ એવી આમલાગણી પ્રવર્તી રહી છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દમણમાં સેવા અને સમર્પણ દિવસ અંતર્ગત કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હાથ ધરાયું

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અથાક મહેનતથી સંઘપ્રદેશમાં હવે પી.જી. મેડિકલના અભ્‍યાસક્રમની પણ શરૂઆત

vartmanpravah

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા વલસાડ અને કચ્‍છ જિલ્લામાં લોકો સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment