January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

વલસાડના ત્રયમ ફાઉન્‍ડેશનના સ્‍થાપક ભૈરવીબેન જોશી કેન્‍દ્રીય
મંત્રી સાથે સાયકલિંગ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: સમગ્ર ભારતમાં ફિટ ઈન્‍ડિયા સાઈકલીંગ ટયુશ ડેની ઉજવણી સાથે વલસાડમાં પણ તેના માટે ત્રયમ ફાઉન્‍ડેશન દ્વારા 10 કિમીની સાઈકલ રાઈડનું આયોજન કરાયું હતુ. ડિસેમ્‍બરની ફૂલ ગુલાબી ઠંડીમાં યોજાયેલી આ સાઈકલ રાઈડમાં વલસાડ શહેરના અનેક સ્‍વાસ્‍થ્‍ય પ્રેમીઓ જોડાયા હતા. તેમણે વલસાડમાં 10 કિમીની સાઈકલ રાઈડ કરી અન્‍ય લોકોને પણ સાઈકલીંગ કરવા પ્રેરણા આપી હતી. વલસાડના લોકો શિયાળાના દિવસોમાં રેગ્‍યુલર સાયકલિંગ કરવા તરફ વળે અને તંદુરસ્‍ત બને તે માટે ખાસ સાયકલિંગ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ઈવેન્‍ટની જાહેરાત સોમવારે કરાઇ હતી અને તેની જાહેરાત સાતેમાત્ર એક દિવસમાં 39 લોકોએ તેમાં રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હતુ અને તેઓ આ સાઈકલ રાઈડમાં જોડાયા હતા. જ્‍યારે ત્રયમ ફાઉન્‍ડેશનના સ્‍થાપક સભ્‍ય વલસાડના ડેન્‍ટીસ્‍ટ ડો. ભૈરવીબેન જોષીએ દિલ્‍હી ખાતે કેન્‍દ્રના લેબર અને એમ્‍પલોયમેન્‍ટ મિનિસ્‍ટર મનસુખભાઈ માંડવીયાની મુખ્‍ય ઈવેન્‍ટમાં સાઈકલીંગ કર્યું હતુ. જ્‍યારે તેમની સંસ્‍થા દ્વારા યોજાયેલી ઇવેન્‍ટમાં વલસાડના અનેક સાઇકલીસ્‍ટો જોડાયા હતા. જેમાં નાના બાળકોથી લઇ વડીલો અને મહિલાઓ પણ સહભાગી થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજનમાં ત્રયમ ફાઉન્‍ડેશનના ખુશ્‍બુ વૈદ્ય, વિભા દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સાઈકલ રાઈડના આયોજનમાં વલસાડ રેસર્સના સભ્‍યો નિતેશ પટેલ અને પ્રિતેશ પટેલ પણ સહભાગી થયા હતા.

Related posts

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ-જનજાતિય ગૌરવ સપ્તાહના ઉપલક્ષમાં દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલ-ઈંગ્‍લિશ મીડિયમમાં જનજાતિય સમુદાયની સંસ્‍કૃતિ ઇતિહાસ અને પ્રભાવના વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment