Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

વલસાડના ત્રયમ ફાઉન્‍ડેશનના સ્‍થાપક ભૈરવીબેન જોશી કેન્‍દ્રીય
મંત્રી સાથે સાયકલિંગ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: સમગ્ર ભારતમાં ફિટ ઈન્‍ડિયા સાઈકલીંગ ટયુશ ડેની ઉજવણી સાથે વલસાડમાં પણ તેના માટે ત્રયમ ફાઉન્‍ડેશન દ્વારા 10 કિમીની સાઈકલ રાઈડનું આયોજન કરાયું હતુ. ડિસેમ્‍બરની ફૂલ ગુલાબી ઠંડીમાં યોજાયેલી આ સાઈકલ રાઈડમાં વલસાડ શહેરના અનેક સ્‍વાસ્‍થ્‍ય પ્રેમીઓ જોડાયા હતા. તેમણે વલસાડમાં 10 કિમીની સાઈકલ રાઈડ કરી અન્‍ય લોકોને પણ સાઈકલીંગ કરવા પ્રેરણા આપી હતી. વલસાડના લોકો શિયાળાના દિવસોમાં રેગ્‍યુલર સાયકલિંગ કરવા તરફ વળે અને તંદુરસ્‍ત બને તે માટે ખાસ સાયકલિંગ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ઈવેન્‍ટની જાહેરાત સોમવારે કરાઇ હતી અને તેની જાહેરાત સાતેમાત્ર એક દિવસમાં 39 લોકોએ તેમાં રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હતુ અને તેઓ આ સાઈકલ રાઈડમાં જોડાયા હતા. જ્‍યારે ત્રયમ ફાઉન્‍ડેશનના સ્‍થાપક સભ્‍ય વલસાડના ડેન્‍ટીસ્‍ટ ડો. ભૈરવીબેન જોષીએ દિલ્‍હી ખાતે કેન્‍દ્રના લેબર અને એમ્‍પલોયમેન્‍ટ મિનિસ્‍ટર મનસુખભાઈ માંડવીયાની મુખ્‍ય ઈવેન્‍ટમાં સાઈકલીંગ કર્યું હતુ. જ્‍યારે તેમની સંસ્‍થા દ્વારા યોજાયેલી ઇવેન્‍ટમાં વલસાડના અનેક સાઇકલીસ્‍ટો જોડાયા હતા. જેમાં નાના બાળકોથી લઇ વડીલો અને મહિલાઓ પણ સહભાગી થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજનમાં ત્રયમ ફાઉન્‍ડેશનના ખુશ્‍બુ વૈદ્ય, વિભા દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સાઈકલ રાઈડના આયોજનમાં વલસાડ રેસર્સના સભ્‍યો નિતેશ પટેલ અને પ્રિતેશ પટેલ પણ સહભાગી થયા હતા.

Related posts

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

vartmanpravah

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું

vartmanpravah

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાંના અધ્‍યક્ષસ્‍થાને શાળા પ્રવેશોત્‍સવ બેઠક મળી

vartmanpravah

Leave a Comment