March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા કેન્‍દ્રિય સૂક્ષ્મ લઘુ અને મધ્‍યમ ઉદ્યમ મંત્રી શ્રી નારાયણ રાણેનું એક હોટલના સભાખંડમાં આયોજીત સમારંભમાં અભિવાદન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કેન્‍દ્રિય મંત્રી શ્રી નારાયણ રાણેએ સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો ભરોસો આપ્‍યો હતો. તેમણે આવતા દિવસોમાં પોતાના મંત્રાલયના અધિકારીઓ સાથે સંઘપ્રદેશની ફરી મુલાકાત કરવાનું પણ વચન આપ્‍યું હતું અને તે દરમિયાન એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસનોરસ્‍તો કેવી રીતે ઝડપી બને તે બાબતે મંથન કરવા જણાવ્‍યું હતું.
આ પ્રસંગે ડીઆઈએના અધ્‍યક્ષ શ્રી પવન અગ્રવાલે કેન્‍દ્રિય મંત્રી શ્રી નારાયણ રાણેએ બતાવેલા હકારાત્‍મક અભિગમની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, આવતા દિવસોમાં સંઘપ્રદેશ એમએસએમઈ તથા અન્‍ય ઉદ્યોગોના ક્ષેત્રે પણ હજુ વધુ વિકાસ કરશે.
આ બેઠકમાં ડીઆઈએના પ્રતિનિધિઓ તથા સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયા વગેરે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું લક્ષદ્વીપના કવરત્તી ખાતે આગમન : અધિકારીઓ સાથે શરૂ થયેલોચર્ચા-વિચારણાનો દોર

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ એક મહિલાની હત્‍યા કેસના આરોપીને આજીવન કેદ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

Leave a Comment