October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના ભુરકુંડ ફળિયામાં રહેતી અને ઝંડાચોક સરકારી શાળામાં ધોરણ 7માં ભણતી છોકરીએ અગમ્‍ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હોવાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઈશ્વરભાઈની ચાલ ભુરકુંડ ફળીયા સેલવાસ ખાતે રહેતી 13 વર્ષિય કિશોરી ધોરણ સાતમાં ઝંડાચોક ખાતેની શાળામાં ભણતી હતી. તેનો ભાઈ બપોરે શાળા બહાર છોડી ગયો હતો. પરંતુ કિશોરી શાળામાં ગઈ ન હતી અને પરત પોતાના ઘરે આવી હતી. કિશોરીએ ઘરના દરવાજાને અંદરથી બંધ કરી અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. કિશોરીનો ભાઈ બપોરે ઘરે આવ્‍યો તો ઘરના દરવાજાનું તાળુ ખુલ્લુ હતું અને અંદરથી દરવાજો બંધ હતો. જેથી એણે દરવાજો ખખડાવ્‍યો પણ કોઈ જ જવાબ નહીં મળતાં એની માતા જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેમને અને પોલીસને ફોન કરી જાણ કરવામાં આવી હતી.
પોલીસની ટીમ ઘટના સ્‍થળે આવ્‍યા બાદ દરવાજો તોડી અંદર જોતા કિશોરી ઘરની અંદર ગળે ફાંસો લગાવેલ હાલતમાં જોવા મળી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. મોતને વ્‍હાલું કરનાર છોકરીના પિતા પોતાના ગામ બિહાર ગયેલ છે અને માતા કંપનીમાં નોકરી કરેછે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

મોદી સરકારમાં સંઘપ્રદેશનો વહીવટ નેતાલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી-વિકાસલક્ષી રહ્યો

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

vartmanpravah

Leave a Comment