Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

‘વન મહોત્‍સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ

દાનહમાં અત્‍યાર સુધીમાં વિવિધ જગ્‍યાએ કુલ 5551 વૃક્ષોના છોડવાઓનું કરવામાં આવ્‍યું છે વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા 1લી જુલાઈના રોજથી વન મહોત્‍સવ 2023નો પ્રારંભ કરવામાં હતો. જે અંતર્ગત સાયલી ગામમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં વન વિભાગ તથા પોલીસ વિભાગ, મેડિકલ ટીમ અને વિદ્યાર્થીઓ સાથે 0.20 હેક્‍ટર વિસ્‍તારમાં 4660 જેટલા વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. દાનહમાં અત્‍યાર સુધીમાં વિવિધ જગ્‍યાએકુલ 5551 વૃક્ષોના છોડવાઓનું વાવેતર કરવામાં આવ્‍યું છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વનવિભાગ દ્વારા દાનહમાં વિવિધ સ્‍થાઓને 510 હેક્‍ટરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને 1350 જેટલા રોપેલા જૂના વૃક્ષોની જાળવણીનું કામ પણ કરવામાં આવશે. જેમાં સાગ, ખેર, સીસમ, બહેડા, સિવણ, વાંસ, જાંબુ, આમળા, સીતાફળ, મહુડો જેવા વૃક્ષો રોપવામાં આવશે. તો આવો આપણે સૌ સાથે મળી આપણા પ્રદેશને ‘ગ્રીન દાનહ’ બનાવીએ અને જ્‍યાં પણ ખાલી જગ્‍યા મળે ત્‍યાં વૃક્ષો રોપીએ.
આજના વૃક્ષારોપણ પ્રસંગે પ્રશાસકના સલાહકાર સહિત દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, વનવિભાગના સી.સી.એફ. શ્રી એમ.રાજકુમાર, સી.એફ. શ્રી પ્રશાંત રાજગોર, ડી.સી.એફ. શ્રી રાજતિલક અને શ્રી થોમસ વર્ગિસ, એ.સી.એફ. શ્રી વિજયકુમાર પટેલ અને વન વિભાગના કર્મચારીઓ તથા પોલીસ વિભાગથી ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બરે, એસ.પી. શ્રી આર.પી.મીણા, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, પી.આઈ., પી.એસ.આઈ., પોલીસકર્મચારીઓ, મેડીકલ વિભાગની ટીમ, સાયલી ગામના સરપંચ, ગ્રામ પંચાયત સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહી મોયા પાયે વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

સેલવાસ રેલવે બુકીંગ સેન્‍ટર પર વિજીલન્‍સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડયો

vartmanpravah

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં બૂથ લેવલના અધિકારીઓને બી.એલ.ઓ. એપ્‍પ સંબંધિત તાલીમ અપાઈ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળા નજીક સ્‍કૂલવાન અને ઇલેક્‍ટ્રીક બસના સ્‍ટોપેજના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment