June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીની સરકારી શાળાના નોડલ શિક્ષકોને ડેન્‍ગ્‍યુ રોગને ફેલાતો અટકાવવાની આપવામાં આવેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીની સરકારી શાળાના નોડલ શિક્ષકોને ડેન્‍ગ્‍યુના ફેલાવાને અટકાવવા માટે ‘જાગૃતિ અભિયાન’ અંતર્ગત તામીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુંછે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી જિલ્લાની સરકારી શાળાના નોડલ શિક્ષકો માટે સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુ રોગને ફેલાતો અટકાવવાના પગલાં રૂપે સામુહિક પ્રયાસના હેતુથી અસરકારક નિવારણ અને જાગૃતિ અભિયાન અંતર્ગત દરેક શાળામાંથી નોડલ શિક્ષકની પસંદગી કરી તેમને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આયોજીત આ જાગૃતિ તાલીમનો ઉદ્દેશ્‍ય ડેન્‍ગ્‍યુના ફેલાવવાને રોકવા અને આ રોગ વિશે વ્‍યાપક જાગૃતિ ફેલાવવાનો છે. જેમાં પીપીટી પ્રેઝન્‍ટેશન, મચ્‍છરના સંવર્ધન સ્‍થળો અને લાર્વાનું જીવંત પ્રદર્શન અને માહિતીપ્રદ વિડીયો દ્વારા તાલીમ આપી નોડલ શિક્ષકો પોતપોતાની શાળાઓના વિદ્યાર્થીઓમાં જીવલેણ ડેન્‍ગ્‍યુ રોગ વિશે જાગૃતિ કેળવશે અને તેના નિવારણના પગલાં વિશે શીખવશે.
અત્રે યાદ રહે કે, ડેન્‍ગ્‍યુ એ એડીસ મચ્‍છરના કરડવાથી થતો ગંભીર રોગ છે તેથી શાળાના વિદ્યાર્થીઓને તેના ફેલાવો રોકવા અને તેના નિવારણ માટેના પગલાંના ભાગરૂપે નોડલ શિક્ષકોને આ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દ્વારા નોડલ શિક્ષકો બાળકોને ડેન્‍ગ્‍યુને કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષિત કરશે. આ સાથે, તેઓ તેમનીશાળાઓમાં મચ્‍છર સંવર્ધન મુક્‍ત શાળાઓજેવી નવીનતાઓને અમલમાં મૂકવા માટે પણ સક્ષમ હશે. બાળકોને ડેન્‍ગ્‍યુ વિશે શિક્ષિત કરીને તેઓ તેમના પરિવાર અને સમાજમાં જાગૃતિ ફેલાવશે, જેનાથી સમાજમાં સકારાત્‍મક પરિવર્તન આવશે.

Related posts

પ્રદેશમાં જ્‍યાં પણ કચરો દેખાય તેની તસવીર સ્‍વચ્‍છતા એપ ઉપર અપલોડ કરવા પંચાયતી રાજ સચિવે કરેલી હાકલ

vartmanpravah

ગાંધીનગર સુવર્ણ સંકુલમાં નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પૂજા-અર્ચના સાથે ઓફિસનો શુભારંભ કર્યો

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ હાલર પ્રાથમિક શાળામાં ભણતા દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાશે

vartmanpravah

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment