Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી- 2024ના સંદર્ભમાં દેશનાદરેક રાજ્‍યના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠક રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાના નેતૃત્‍વમાં ભાજપ કેન્‍દ્રિય કાર્યાલય દિલ્‍હી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવથી પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપકભાઈ જાદવ અને શ્રી જીતુભાઈ માઢાએ હાજરી આપી હતી.
દાદરા નગર હવેલીના ભાજપના સૌથી જૂના અને કર્મઠ નેતા શ્રી જીતુભાઈ માઢાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવની વર્તમાન સ્‍થિતિની વિસ્‍તારથી રૂપરેખા આપી હતી અને પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો.
આ બેઠકમાં રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી વિનોદ તાવડે, શ્રી સુનિલ બંસલ અને પ્રવક્‍તા શ્રી સંદિપ પાત્રાએ માહિતી અને માર્ગદર્શન આપ્‍યું હતું. રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ 2019માં હારેલી સીટોને જીતવા અને જીતેલી સીટોમાં પહેલાથી વધુ મતોથી જાળવી રાખવા સંગઠનને સક્રિય અને એકરાગીતાથી કામ કરવા નિર્દેશ આપ્‍યો હતો. તેમણે ભાજપ માટે અનુラકૂળ વાતાવરણ કેવી રીતે તૈયાર કરવું તેની પણ સમજ આપી હતી.

Related posts

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

આજે દમણમાં રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્‍યોની પાવન પધરામણી અવસરે ભવ્‍ય સામૈયું યોજાશે

vartmanpravah

દાનહ પોલીસે સેલવાસના એક વ્‍યક્‍તિની માર મારી હત્‍યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

vartmanpravah

દમણમાં સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે બેઠક કરી વિકાસ કામોમાં ગતિશીલતા લાવવા કરેલી હાકલ : દાનહ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે મંડી પડવા પણ કરેલી તાકિદ

vartmanpravah

Leave a Comment