April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

સ્‍કૂલોમાં જઈ છત્રી તથા નોટબુક અને ચોપડીઓનું કર્યું ફ્રીમાં વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તથા આજુબાજુના વિસ્‍તારમાં સાપ નીકળે એટલેજીવદયા ગ્રુપ પારડીને ફોન કરતા જ તરત જ જીવદયા ગ્રુપના સભ્‍યો સ્‍થળ પર આવી કોઈપણ પ્રકારના સાપનું રેસ્‍કયુ કરી સહી સલામત લઈ જતા હોય છે.
જીવ દયા ગ્રુપ ફક્‍ત સાપ પકડવાનું જ કામ નથી કરતી પરંતુ કોરોના કાર્ડ દરમિયાન સતત ટિફિન સેવા આપ્‍યા બાદ હાલમાં એમ્‍બ્‍યુલન્‍સની સેવા પણ આપી રહી છે. ટૂંકમાં જીવદયા ગ્રુપ પાર્ટી એમના પ્રમુખ અલી અન્‍સારીના નેજા હેઠળ અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ કરી રહી છે.
આ સેવામાં એક નવું પીછું ઉમેરતા આજરોજ પારડી ખાતે આવેલ પ્રાથમિક કન્‍યાશાળા કંસારવાળ ખાતે જઈ 64 જેટલી વિદ્યાર્થીનીઓને ચોમાસાની સિઝનને લઈ ફ્રીમાં છત્રીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત ડુંગરી ખાતે આવેલ કળષિ ઉદ્યોગ મુખ્‍ય શાળા ખાતે પહોંચી તમામ 135 વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને નોટબુક તથા ચોપડીઓનું ફ્રીમાં વિતરણ કરી એક ઉમદા કાર્ય કરી સમાજને એક નવી રાહ ચીંધી હતી.
વધુમાં પ્રમુખ અલી અન્‍સારીએ જણાવ્‍યું હતું કે, ચોમાસાની સિઝનને લઈ સાપો પણ વધુ નીકળતા હોય સ્‍કૂલમાં જઈ સાપો વિશેની જાણકારી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આપવામાં આવશે.
અંતમાં તેઓએ પારડી તથા આજુબાજુ વિસ્‍તારના તમામ લોકોને એક અપીલ કરી છે કે આપણા વિસ્‍તારમાં કોઈ પણ પ્રકારના સાપો દેખાય તો એમને મારી ન નાખતા તરતજીવદયા ગ્રુપનો સંપર્ક કરો. અમારા સભ્‍યો તાત્‍કાલિક સ્‍થળ પર આવી સહી સલામત રીતે સાપનું રેસ્‍કયુ કરી લઈ જશે.
આજના આ કાર્યક્રમમાં જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી, રાજુભાઈ મંગનાની, ગીતાબેન પટેલ, પ્રીતિબેન પટેલ, વિરલ પટેલ, સંગીતા જાદવ, મુસ્‍તુ તેજી, દેવાંગ પટેલ, મિતેશ પટેલ, સાવન પટેલ તથા નૂરઝહા અન્‍સારી જેવા જીવદયા ગ્રુપ પારડીના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

દમણવાડાના ઢોલર-બારિયાવાડ ખાતે અતિ પ્રાચીન સોપાની માતા મંદિરના ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આનંદ-ઉલ્લાસ સાથે કરાયું આયોજન

vartmanpravah

Leave a Comment