July 28, 2026
Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

કેન્‍દ્રીય રેલવે, સંચાર, ઈલેક્‍ટ્રોનિક્‍સ તથા અને માહિતી ટેક્‍નોલોજી મંત્રી અશ્વિની વૈષ્‍ણવને દમણ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
દમણ જિલ્લા પંચાયતનાંપ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવાનો ફૉર્મમાં જિલ્લા પંચાયત સભ્‍યો પણ નાગરિકોનાં વેરિફિકેશન કરી શકે એમ લખવા માંગણી કરી છે.
કેન્‍દ્રીય રેલવે, સંચાર, ઈલેક્‍ટ્રોનિક્‍સ તથા અને માહિતી ટેક્‍નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવને સેલવાસ મુલાકાત દરમિયાન આપેલ પત્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબૂભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, નાગરિક રાષ્‍ટ્રીય ઓળખ-પત્ર એટલે આધાર-કાર્ડ બનાવાનો ફૉર્મમાં નગરપાલિકા સભ્‍યો અને ગ્રામ પંચાયતોનાં સરપંચો આવેદકોનાં વેરિફિકેશન કરે છે. એવું આધાર-કાર્ડનાં ફૉર્મમાં પણ છાપેલું છે પણ આ ફૉર્મમાં નાગરિકોનાં વેરિફિકેશન અંગે જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્‍યોના નામોનો ઉલ્લેખ જ નથી.
નગરપાલિકા સભ્‍યો અને સરપંચોની જેમ જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્‍યોના નામ પણ આધાર-કાર્ડનાં ફૉર્મમાં નાગરિકોનું વેરિફિકેશન કરવાની જોગવાઈ કરવી જોઈએ. આમ કરવાથી ગ્રામીણ નાગરિકોને પણ વેરિફિકેશન કરાવવાનો બીજો વિકલ્‍પ મળશે. જેથી નાગરિકોની ઊર્જા, સમય અને પૈસાની વચત થશે.
શ્રી બાબુભાઈ પટેલે મંત્રીશ્રીને એ રજૂઆત કરી હતી હતી કે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ, નવી દિલ્‍હી અથવા યોગ્‍ય સ્‍થળે પહોંચાડીને જરૂરી નિર્દેશ આપીનિકાલ કરવા અંગે વિનંતી કરી છે.

Related posts

ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી બે વર્ષીય દીપડો પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રભારી નવિન પટેલ અને સંયોજક અસ્‍પી દમણિયાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા’બાબતના સંબોધનને લાઈવ સાંભળવા દમણમાં ચાર સ્‍થળોએ કરાયેલું આયોજન

vartmanpravah

વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્‍ચ અધિકારીઓને લેખિત રજૂઆત

vartmanpravah

સેલવાસ ઝંડાચોક નજીકના આયશા એપાર્ટમેન્‍ટના વીજમીટરમાં જોરદાર ધડાકા બાદ લાગેલી આગ

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં ટોબેકો નિર્મૂલન જાગૃતિ માટે સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment