October 21, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

પ્રકૃતિના નવા રુપના વધામણા માટે આદિવાસી સમાજ દ્વારા પારંપરિક પૂજાવિધિ કરવામાં આવે છે અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરવામાં આવી હતી. આ દેવની પૂજાનું માહાત્‍મ્‍ય પ્રકૃતિ અને વરસાદ સાથે સંકળાયેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જ્‍યારે પહેલા વરસાદનું આગમન થાય છે અને નવા નવા પ્રકારના ઘાસના-વૃક્ષોના અંકુરો ફૂટી નિકળે છે તે દરમ્‍યાન પ્રકૃતિ લીલોતરીનું ખુબ સુંદર રુપ ધારણ કરે છે. જેની ખુશીમાં પ્રકૃતિના નવા રુપના વધામણા માટે આદિવાસી સમાજ દ્વારા પારંપરિક પૂજાવિધિ કરવામાં આવે છે અને પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.
આદિવાસી સમાજ મોટાભાગે જંગલ વિસ્‍તારમાં રહીને પશુપાલન સાથે સંકળાયેલો છે. આદિવાસી સમાજ પોતાના ઢોરઢાંખરને પોતાના સભ્‍યોની જેમ જ રાખે છે. તેઓ આખા વર્ષ દરમિયાન ઢોરઢાંખરનું આરોગ્‍ય જળવાઈ રહે, ઢોરઢાંખરમાં કોઈ રોગ કે બિમારી ન આવે તેના માટે ખાસ પ્રકારની વનસ્‍પતિઓ જંગલમાંથી લાવીને ઔષધિ બનાવીને ઢોરઢાંખર પર પીવડાવવામાં કે છંટકાવ કરવામાં આવે છે. એટલે કે ઢોરઢાંખરની સારા તંદુરસ્‍તી માટે નાંદરવા દેવની પૂજા કરવામાં આવે છે.
દરમિયાન ખેતરોમાં ઊગેલા નવા ધાન્‍ય અને પશુધન (ઢોરઢાંખર) માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે ગામના લોકો ભેગા મળીને ગામમાં ખેતીકામમાં વર્ષ દરમિયાન મજૂરીના દર પણ નક્કી કરતા હોય છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં શિક્ષક જગતમાં બની દુઃખદ ઘટના : વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્‍યક્ષ અલ્‍કેશભાઈ છાયાનું હૃદય રોગના હુમલમાં સારવાર દરમિયાન નિધન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

vartmanpravah

અયોધ્‍યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાને લઈ વાપી સહિત વલસાડ જિલ્લામાં દિવાળીનો માહોલ

vartmanpravah

ખેડૂતો માટે સરકારનો નવતર પ્રયોગઃ વલસાડ જિલ્લામાં 2568 એકર જમીનમાં ખેતીના પાક પર ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાશે

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

Leave a Comment