January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : દાદરા નગર હવેલીના સાયલી ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી અને અને પ્રમુખશ્રીની અધ્‍યક્ષતામાં ‘પ્રધાનમંત્રી આવાસયોજના-ગ્રામીણ’ અંતર્ગત ગરીબ આદિવાસી પરિવારને પાકું મકાન મળે તટે માટેની પ્રક્રિયા સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો.અપૂર્વ શર્માએ લાભાર્થીઓને જણાવ્‍યું હતું કે, દરેક લાભાર્થીને પાકા મકાન માટે 2.40 લાખ રૂપિયા પાંચ હપ્તામાં સરકાર દ્વારા આપવામાં આવશે. ત્‍યારબાદ તમામે નિヘતિ સમય મર્યાદામા પોતાનું મકાન બનાવવાનું રહેશે.
ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓને સૂચના આપી હતી કે હપ્તાની ચૂકવણી કરાયા બાદ દિવાળી બાદથી મકાન નિર્માણની કામગીરી કરવાની રહેશે. અત્રે સાયલી પંચાયતમાં 129 લાભાર્થીઓને આવાસનો લાભ મળશે. બેઠકમાં દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ વંદનાબેન પટેલ, સરપંચ શ્રમતી કુંતાબેન, સેક્રેટરી શ્રીમતી પાર્વતીબેન તથા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા

vartmanpravah

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

Leave a Comment