Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : દાદરા નગર હવેલીના સાયલી ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી અને અને પ્રમુખશ્રીની અધ્‍યક્ષતામાં ‘પ્રધાનમંત્રી આવાસયોજના-ગ્રામીણ’ અંતર્ગત ગરીબ આદિવાસી પરિવારને પાકું મકાન મળે તટે માટેની પ્રક્રિયા સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો.અપૂર્વ શર્માએ લાભાર્થીઓને જણાવ્‍યું હતું કે, દરેક લાભાર્થીને પાકા મકાન માટે 2.40 લાખ રૂપિયા પાંચ હપ્તામાં સરકાર દ્વારા આપવામાં આવશે. ત્‍યારબાદ તમામે નિヘતિ સમય મર્યાદામા પોતાનું મકાન બનાવવાનું રહેશે.
ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓને સૂચના આપી હતી કે હપ્તાની ચૂકવણી કરાયા બાદ દિવાળી બાદથી મકાન નિર્માણની કામગીરી કરવાની રહેશે. અત્રે સાયલી પંચાયતમાં 129 લાભાર્થીઓને આવાસનો લાભ મળશે. બેઠકમાં દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ વંદનાબેન પટેલ, સરપંચ શ્રમતી કુંતાબેન, સેક્રેટરી શ્રીમતી પાર્વતીબેન તથા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહીના પગલે આજે દાનહની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ રાખવા જિલ્લા કલેક્‍ટરે જારી કરેલો આદેશ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્‍ડ ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે કરેલી જામીન અરજી નામંજૂર

vartmanpravah

ખુંટેજથી રોહિણા સુધી દમણગંગા નહેર પર 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્‍યું બુલડોઝર

vartmanpravah

Leave a Comment