February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

પારડીના પ્રશાંતભાઈએ મિત્ર વિગ્નયને કાપડની
દુકાન ચાલુ કરવા 35000 ઉછીના આપ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડી પોલીસ લાઈનની પાછળ અંબાલાલની વાડી ખાતે રહેતા પ્રશાંતભાઈ ધીરુભાઈ હળપતિએ સરોધી ખાતે રહેતા વિગ્નય સંતોષભાઈ પટેલને કપડાની દુકાન શરૂ કરવા માટે થોડા સમય પહેલા 35,000 ઉછીના આપ્‍યા હતા.
આ અંગેની ઉઘરાણી કરવા પ્રશાંતભાઈ તારીખ 18-7-2023 ના રોજ સરોધી વિગ્નયભાઈના ઘરે પહોંચ્‍યા હતા પરંતુ વિગ્નય ઘરે ન હોય એમના મમ્‍મીએ કાલે ? આપી જઈશ હોવાનું જણાવતા પ્રશાંતભાઈ પરત ઘરે પારડી આવી ગયા હતા.
થોડા સમય બાદ ફરીથી રૂપિયા લઈ જવાનો ફોન આવતા પ્રશાંતભાઈ એમના ભાઈ સાવન મિત્ર બ્રિજેશ પટેલ જયસિંહ ભરવાડ અને અજય ભરવાડ સાથે રૂપિયા લેવા શરૂથી પહોંચતા વિગ્નયે મે અન્‍ય કોઈને પૈસાઆપ્‍યા હોય જે આવશે ત્‍યારે આપીશ હોવાનું જણાવતા પ્રશાંતભાઈ પારડી આવવા પરત ફર્યા હતા.
આ દરમ્‍યાન ઓરવાડ પરિયા રોડ મેડિકલ સ્‍ટોરની બાજુમાં ઊભેલા સુરેન્‍દ્રભાઈ રહે.બાલાખાડી, કંસારા કંપનીની બાજુમાં પારડી અને મેહુલભાઈ કિશનભાઈ ધો.પટેલનાઓએ ગાડીને ઊભી રખાવી સાહિનભાઈ કિકુભાઈ ધો.પટેલ રહે.પારડી કોલેજની બાજુમાં આવે છે. ગાડીમાંથી બહાર નીકળો હોવાનું કહેતા ગાડીમાંથી ભહાર નીકળતા ગુસ્‍સામાં આવેલા સાહિને જમણી આંખની બાજુમાં બ્‍લોક મારતા ચક્કર આવી ગયા હતા. આ દરમ્‍યાન વિગ્નય પણ આવી જતા તેને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નીકળી ગયા હતા. પ્રશાંતભાઈને પ્રથમ પારડી સી.એચ.સી. ખાતે સારવાર બાદ બીજે દિવસે ફરીથી ચક્કર આવતા વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા ત્‍યાંથી તેમણે આ ચારેય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ઈ.પી.કો. કલમ 323, 325, 504, 506, (2), 114 નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા રસ્‍તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને સાકાર કરતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah

આજે દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણઃ વાયદાઓની સમયમર્યાદા પણ ખતમ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ થ્રીડીમાં જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment