(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ સ્તરીય વાવાઝોડાં અને પૂરના સંદર્ભમાં પ્રદેશના ત્રણેય જિલ્લામાં આગામી તા.27મી જુલાઈના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
27મી જુલાઈએ યોજાનારી મોકડ્રીલના ઉપલક્ષમાં આવતીકાલ તા.25મી જુલાઈના રોજ સવારે 10:00 થી 1:00 વાગ્યા સુધી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલમાં ટેબલટોપ એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી ડેપ્યુટી કલેક્ટર (સામાન્ય) શ્રી પ્રિયાંશુ સિંઘે એક સરક્યુલર દ્વારા આપી છે.