April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

નવસારી, તા. 31 : નવસારી કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારી ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચયુઅલ રીતે ઉપસ્થિત રહીને બાળકોને આર્શિવચન આપતા કહ્યું હતું કે, આજે પ્રધાનમંત્રીશ્રી તરીકે નહિ પણ પરિવારના સભ્ય તરીકે તમારી સાથે જોડાયો છું. સરકાર સંવેદનશીલતા સાથે કામ કરીને સેવાના ભાવ સાથે આગળ વધી રહી છે.

કાર્યક્રમ દરમિયાન પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત બાળકોને પાસબુક (બાળક ૧૮ વર્ષની ઉંમરથી માસિક સ્ટાઇપેન્ડ અને ૨૩ વર્ષની ઉંમરે પહોંચવા સુધીમાં રૂ.૧૦ લાખની સહાય, પી.એમ.જાય હેલ્થ કાર્ડ, પી.એમ.કેર્સ સર્ટીફિકેટ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને શિક્ષણ કીટ આપવમાં આવી હતી. આ યોજનાનો નવસારી જિલ્લાના ૧૭ બાળકોને લાભ મળી રહ્યો છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ બાળકોને માસિક રૂ. ૪૦૦૦ ડી.બી.ટી દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે. પી.એમ.કેર્સના બાળકોની ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી માસિક રૂ. ૨૦૦૦ની સહાય ચૂકવવામાં આવે છે. પી.એમ.કેર્સના બાળકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લઇને રૂ.પાંચ લાખ રૂપિયાનો હેલ્થ વિમાનું કવર મળે છે.

આ કાર્યક્રમમાં બાળ સુરક્ષા સમિતિના ચેરમેનશ્રી ઓમ પ્રકાશ અગ્રવાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાવસાર સહિતના અધિકારીશ્રીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્‍સ ક્‍લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્‍ક વિકલાંગ શિબિર યોજાશે

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

સરકારી કચેરી અને ઔદ્યોગિક એકમોની સમસ્‍યાના ઉકેલ માટે યોજાયેલી રાજ્‍ય કક્ષાની હેકાથોનમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

Leave a Comment