January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ- ગુજરાત સરકાર દ્વારા સ્‍વામી વિવેકાનંદ વન અભિયાન સંદર્ભે વૃક્ષારોપણ કાર્યક્રર્મ ધરમપુરના માલનપાડાના ડુંગર વિસ્‍તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર.એફ.ઓ. હિરેનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કે. એ. ઝાલા રાઉન્‍ડ ફોરેસ્‍ટર સિંદુમ્‍બર અને એસ. એન. વાઘેલા ઈ.ચા બીટગાર્ડ સિંદુમ્‍બર પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અતિથિ વિશેષ પદે યુવા બોર્ડના ઝોન સંયોજક હર્ષિત દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
યુવા બોર્ડના વલસાડ જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, સામાજિક અગ્રણી ગણેશભાઈ બીરારી, જિલ્લા સંગઠનના યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ, મયંક પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ અક્ષય ચૌધરી, પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ તથા યુવા બોર્ડના નગર પાલિકા સંયોજક દિવ્‍યેશ ભોયા, ધવલ ભોયા સહિત યુવાઓ આ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાન યુવા બોર્ડ ધરમપુર નગરપાલિકાદ્વારા સતત 5 દિવસ થશે અને વધુમાં વધુ વિસ્‍તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

Related posts

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશેઃ નવ દિવસ લોકો ગરબે ઘૂમશે

vartmanpravah

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

vartmanpravah

Leave a Comment