December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ- ગુજરાત સરકાર દ્વારા સ્‍વામી વિવેકાનંદ વન અભિયાન સંદર્ભે વૃક્ષારોપણ કાર્યક્રર્મ ધરમપુરના માલનપાડાના ડુંગર વિસ્‍તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર.એફ.ઓ. હિરેનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કે. એ. ઝાલા રાઉન્‍ડ ફોરેસ્‍ટર સિંદુમ્‍બર અને એસ. એન. વાઘેલા ઈ.ચા બીટગાર્ડ સિંદુમ્‍બર પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અતિથિ વિશેષ પદે યુવા બોર્ડના ઝોન સંયોજક હર્ષિત દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
યુવા બોર્ડના વલસાડ જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, સામાજિક અગ્રણી ગણેશભાઈ બીરારી, જિલ્લા સંગઠનના યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ, મયંક પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ અક્ષય ચૌધરી, પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ તથા યુવા બોર્ડના નગર પાલિકા સંયોજક દિવ્‍યેશ ભોયા, ધવલ ભોયા સહિત યુવાઓ આ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાન યુવા બોર્ડ ધરમપુર નગરપાલિકાદ્વારા સતત 5 દિવસ થશે અને વધુમાં વધુ વિસ્‍તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

Related posts

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

વલસાડમાં ગુજરાત રાજ્‍યમાધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાયું

vartmanpravah

દીવ કૉલેજમાં વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ

vartmanpravah

સેલવાસના માનસિક રીતે અસ્‍થિર યુવાનની લાશ નાળામાંથી મળી આવી

vartmanpravah

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

Leave a Comment