June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના દાદરા ગામે એમ.જી.લુણાવત ઈંગ્‍લીશ સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અને આરોગ્‍ય શિક્ષણ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલફેર અને ગોરવર અને બેલ ઇન્‍ડિયા લિમિટેડ દાદરાના સહયોગથી આયોજીત સેમીનાર કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા સ્‍વાગત ગીત અને પ્રાર્થના પ્રસ્‍તુતીથી કરી હતી.
આ પ્રસંગે ઇન્‍ડિયન કાઉન્‍સિલના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે કુપોષણ દૂર કરવા માટે જરૂરી પોષક તત્ત્વોની વિસ્‍તારથી માહિતી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આપી હતી, તેમણે કુપોષણના નિવારણ માટે સંતુલિત ભોજન કરવાની સલાહ આપી હતી.
આ પ્રસંગે સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી આર.કે.સિંહ દ્વારા પોષણ યુક્‍ત ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું અને બાળકોને સાફ સુથરું ભોજન લેવાની સલાહ આપી હતી. જ્‍યારે શાળાના આચાર્ય શ્રીમતી કલ્‍પનાબેન ભટ્ટે પણ પોષક તત્ત્વો વિશે જાણકારી આપી હતી અને પૌષ્‍ટિક ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ અને સશક્‍ત બાળક અને સશક્‍ત દેશના સૂત્રને શ્રી એમ.વી.પરમારે અને શ્રી આર.કે.સિંગ દ્વારા સાર્થક કર્યું. હેલ્‍દી ફૂડ અને હેલ્‍દી લાઈફની હરીફાઈમાં ભાગ લેનાર વિજેતા બાળકોને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં ગ્રોવર વેલઇન્‍ડિયા લીમીટેડના સિનિયર પ્રોજેક્‍ટ મેનેજર સંજયસિંહ અને એચ.આર.શ્રેયા દેસાઈ, શ્રી હિમાંશુ ભટ્ટ, શાળાના એડમિનિસ્‍ટ્રેટર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્‍યો હતો.

Related posts

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

vartmanpravah

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

vartmanpravah

વિવિધ રંગારંગ કાર્યક્રમ અને દેશભક્‍તિના જોસ સાથે સલવાલગુરુકુળમાં આઝાદ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

vartmanpravah

કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ ભરતભાઈ પટેલે સમસ્‍યાના ઉકેલની સાથે પંચાયતના વિકાસનું જાહેર કરેલું વિઝન

vartmanpravah

Leave a Comment