April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના દાદરા ગામે એમ.જી.લુણાવત ઈંગ્‍લીશ સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અને આરોગ્‍ય શિક્ષણ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલફેર અને ગોરવર અને બેલ ઇન્‍ડિયા લિમિટેડ દાદરાના સહયોગથી આયોજીત સેમીનાર કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા સ્‍વાગત ગીત અને પ્રાર્થના પ્રસ્‍તુતીથી કરી હતી.
આ પ્રસંગે ઇન્‍ડિયન કાઉન્‍સિલના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે કુપોષણ દૂર કરવા માટે જરૂરી પોષક તત્ત્વોની વિસ્‍તારથી માહિતી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આપી હતી, તેમણે કુપોષણના નિવારણ માટે સંતુલિત ભોજન કરવાની સલાહ આપી હતી.
આ પ્રસંગે સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી આર.કે.સિંહ દ્વારા પોષણ યુક્‍ત ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું અને બાળકોને સાફ સુથરું ભોજન લેવાની સલાહ આપી હતી. જ્‍યારે શાળાના આચાર્ય શ્રીમતી કલ્‍પનાબેન ભટ્ટે પણ પોષક તત્ત્વો વિશે જાણકારી આપી હતી અને પૌષ્‍ટિક ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ અને સશક્‍ત બાળક અને સશક્‍ત દેશના સૂત્રને શ્રી એમ.વી.પરમારે અને શ્રી આર.કે.સિંગ દ્વારા સાર્થક કર્યું. હેલ્‍દી ફૂડ અને હેલ્‍દી લાઈફની હરીફાઈમાં ભાગ લેનાર વિજેતા બાળકોને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં ગ્રોવર વેલઇન્‍ડિયા લીમીટેડના સિનિયર પ્રોજેક્‍ટ મેનેજર સંજયસિંહ અને એચ.આર.શ્રેયા દેસાઈ, શ્રી હિમાંશુ ભટ્ટ, શાળાના એડમિનિસ્‍ટ્રેટર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્‍યો હતો.

Related posts

નરોલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સર્વાનુમતે નયનાબેન પટેલની વરણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સ્‍ટેટ રાઈફલ શૂટિંગ સ્‍પોર્ટ્‍સ એસોસિએશન દ્વારા આયોજીત રાઈફલ શૂટિંગ સ્‍પર્ધામાં દમણની કુ. ઈશ્વરી ચોનકરે સબ યુથ અને યુથની બંને શ્રેણીમાં જીતેલા બે ગોલ્‍ડ મેડલ

vartmanpravah

ડાભેલ ચેકપોસ્‍ટથી ઓડી કારમાં દારૂના જથ્‍થા સાથે છત્તીસગઢના ચાર વેપારી ઝડપાયા: ચારની અટક કરી કાર સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યા

vartmanpravah

જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓ અને જિ.પં. સભ્‍યો, સરપંચો તથા વોર્ડ સભ્‍યો સાથે કરેલી બેઠક દાનહ પ્રધાનમંત્રી આવાસ પ્‍લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો 31મી ડિસે.’23 સુધી પૂર્ણ કરવા લાભાર્થીઓને અલ્‍ટીમેટમ

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું દાદરા નગર હવેલીનું 59.70ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીમા 10.27 ટકાનો થયેલો સુધારો

vartmanpravah

Leave a Comment