(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા કારગિલ યુદ્ધ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધ ભારતીય સેનાની અદમ્ય હિંમત, શોર્ય, ખુમારી અને બહાદુરીનું એવું ઉદાહરણ છે કે જેના પર દરેક ભારતીયને ગર્વ છે. તો આ દિવસની ઉજવણીને લઈ શાળાના નાના ભૂલકાંઓ સરસ સૈનિકોની વેશભૂષામાં સુસજજ થઈ આવ્યા હતા. બાળકોએ ભારત દેશ જે હંમેશા શાંતિ સલામતી અને સદભાવનામાં માને છે જેણે ઈતિહાસમાં આ પરંપરાનું કયારેય ઉલ્લંઘન નથી કર્યું. પરંતુ જ્યારે દેશની આન બાન શાન પર તરાપ મારવામાં આવી ત્યારે દુશ્મનોને બક્ષ્યા પણ નથી આ મિશાલને યાદ કરાવી હતી. આ સાથે જ બાળકો દ્વારા સરસ મજાના પોસ્ટરો બનાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી વીર જવાનોની હિંમતને યાદ કરવામાં આવી હતી.
Previous post