September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા કારગિલ યુદ્ધ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધ ભારતીય સેનાની અદમ્‍ય હિંમત, શોર્ય, ખુમારી અને બહાદુરીનું એવું ઉદાહરણ છે કે જેના પર દરેક ભારતીયને ગર્વ છે. તો આ દિવસની ઉજવણીને લઈ શાળાના નાના ભૂલકાંઓ સરસ સૈનિકોની વેશભૂષામાં સુસજજ થઈ આવ્‍યા હતા. બાળકોએ ભારત દેશ જે હંમેશા શાંતિ સલામતી અને સદભાવનામાં માને છે જેણે ઈતિહાસમાં આ પરંપરાનું કયારેય ઉલ્લંઘન નથી કર્યું. પરંતુ જ્‍યારે દેશની આન બાન શાન પર તરાપ મારવામાં આવી ત્‍યારે દુશ્‍મનોને બક્ષ્યા પણ નથી આ મિશાલને યાદ કરાવી હતી. આ સાથે જ બાળકો દ્વારા સરસ મજાના પોસ્‍ટરો બનાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી વીર જવાનોની હિંમતને યાદ કરવામાં આવી હતી.

Related posts

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ૪૦મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

નવસારી જિલ્લામાં હિટવેવથી લોકોનાં આરોગ્‍યને ફટકોઃ મે-મહિનાના 11 દિવસમાં જ 108 ઈમરજન્‍સીને 228 કોલ આવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

Leave a Comment