April 29, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના શિવસૈનિકો આજે તા.23મી જાન્‍યુઆરીના રોજ શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની જન્‍મજયંતિ ઉત્‍સવ ગામડાઓમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી ઉજવવામાં આવ્‍યો હતો.
સેલવાસ આમલી સ્‍થિત શિવસેનાના કાર્યાલય પર બાળાસાહેબની જન્‍મજયંતિ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી. આ અવસરે શિવસેના સંસ્‍થાપક સ્‍વ. બાળાસાહેબ ઠાકરેને યાદ કરી એમની 96મી જયંતિ પર એમની પ્રતિમા પર પુષ્‍પ અર્પણ કરી નમન કર્યા હતા. ત્‍યારબાદ શિવસૈનિકોએ પ્રદેશના ગ્રામીણ વિસ્‍તારમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને માસ્‍કનુ વિતરણ કર્યું હતું. જે દરમ્‍યાન કોવીડ-19ના ગાઈડલાઇનનું વિશેષ ધ્‍યાન રાખવામા આવ્‍યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, બાળાસાહેબ ઠાકરેનો જન્‍મ 23મી જાન્‍યુઆરી, 1926ના રોજ થયો હતો. જેઓએ 1966માં શિવસેના પાર્ટીની સ્‍થાપના કરી જે વર્તમાનમા મહારાષ્‍ટ્રમાં સરકાર ચાલી રહી છે.
આ અવસરે શ્રી રમેશ મોહિત, કાશીનાથ પવાર, રાહુલ સૂર્યવંશી, અરુણ પાટીલ, પ્રભાકર પાટીલ સહિતકાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah

વાપીમાં ડેન્‍ગ્‍યુને અટકાવવા આરોગ્‍ય વિભાગની સઘન ઝુંબેશઃ 73 હજાર મકાનોમાં તપાસ કરાઈ

vartmanpravah

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

દમણમાં બાલ ભવન બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પનો શુભારંભ : આજથી 31મે, 2023 સુધી ચાલનારા સમર કેમ્‍પમાં દરરોજ બાળકોને ટ્રેકિંગ, કેક મેકિંગ, સિંગિંગ, કી-બોર્ડ પ્‍લેઈંગ, કરાટે, યોગા, ડાન્‍સ વગેરે શિખવવામાં આવશે

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલને જન્‍મ દિનની શુભેચ્‍છા આપવા કાર્યકરોની લાગેલી લાંબી હરોળ

vartmanpravah

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment