(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના શિવસૈનિકો આજે તા.23મી જાન્યુઆરીના રોજ શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ ઉત્સવ ગામડાઓમાં ધાબળા અને માસ્ક વિતરણ કરી ઉજવવામાં આવ્યો હતો.
સેલવાસ આમલી સ્થિત શિવસેનાના કાર્યાલય પર બાળાસાહેબની જન્મજયંતિ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી. આ અવસરે શિવસેના સંસ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરેને યાદ કરી એમની 96મી જયંતિ પર એમની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરી નમન કર્યા હતા. ત્યારબાદ શિવસૈનિકોએ પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને માસ્કનુ વિતરણ કર્યું હતું. જે દરમ્યાન કોવીડ-19ના ગાઈડલાઇનનું વિશેષ ધ્યાન રાખવામા આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, બાળાસાહેબ ઠાકરેનો જન્મ 23મી જાન્યુઆરી, 1926ના રોજ થયો હતો. જેઓએ 1966માં શિવસેના પાર્ટીની સ્થાપના કરી જે વર્તમાનમા મહારાષ્ટ્રમાં સરકાર ચાલી રહી છે.
આ અવસરે શ્રી રમેશ મોહિત, કાશીનાથ પવાર, રાહુલ સૂર્યવંશી, અરુણ પાટીલ, પ્રભાકર પાટીલ સહિતકાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Previous post