February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાત

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ,તા.27 : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા પ્રાથમિક શાળા નં.319માં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના સંમેલનમાં વિદ્યાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્‍યારબાદ કારગીલ વિજય દિન વિશે શાળાનાં સામાજિક વિજ્ઞાનનાં શિક્ષિકા શ્રીમતી નીમાબેન દારૂવાળાએ વિદ્યાર્થીઓને જાણકારી આપી જણાવ્‍યું હતું કે, સરહદનાં જવાનો આપણી સુરક્ષા માટે ખૂબ જ કષ્ટ વેઠે છે અને એમની આ ચોક્‍સાઈ અને શહાદતને કારણે આપણે સૌ સલામતીથી જીવી શકીએ છીએ. એટલે આજનાં દિવસે આપણે સૌએ શહીદોને યાદ કરી વંદન કરીએ.
વીર વંદના કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વીર શહીદોનાં જીવન વિશે માહિતી આપવાનો ઉપક્રમ પણ શાળામાં ચાલે છે. જે સંદર્ભે શાળાનાં મુખ્‍યશિક્ષક શ્રી પ્રકાશભાઈ પરમારે પરમવીર ચક્ર વિજેતા શહીદ અબ્‍દુલ હમીદનાં જીવન અનેપરાક્રમ વિશે માહિતી રજૂ કરી વિદ્યાર્થીઓને દેશસેવા અંગે પ્રેરણા પૂરી પાડી હતી.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

vartmanpravah

Leave a Comment