April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: દર માસે યોજાતા સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત જુલાઈ-2023 નો સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં તા.27 મી જુલાઈ, 2023 ના રોજ યોજવામાં આવ્‍યો હતો.
બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત સર્વે અધિકારીઓને જાતે સ્‍થળ મુલાકાત લઈને પ્રશ્નોનો નિકાલ કરવા માટે તાકીદ કરી હતી. આ કાર્યક્રમમાં ગત માસના 9 અરજદારોએ તેમના પડતર પ્રશ્નો અને ચાલુ માસના 28 અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. અને આ તમામ પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્‍ય રજૂઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્‍યત્‍વે જમીન માપણી, અનઅધિકળત બાંધકામ અને દબાણ દૂર કરવા, વરસાદી પાણીનો નિકાલ, પોલીસ ફરિયાદને લગતા પ્રશ્ન, ખેડૂત ખરાઈ અંગે, 7/12 ના કોમ્‍પ્‍યુટરાઈઝડ રેકોર્ડમાં સુધારણા, થ્રી ફેઝ વીજ પુરવઠો, નિવૃત્તિ પછીના મળવાપાત્ર પેન્‍શન તથા અન્‍ય લાભો મળવા બાબત, જમીન નામે કરવા અંગેના, અટક ફેરફાર અંગેના, ડ્રેનેજ લાઈનના અને બેન્‍કિંગ ક્ષેત્રને લગતાપ્રશ્નો રજૂ કરાયા હતા. જિલ્લા કલેક્‍ટરશ્રીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ બેઠકમાં પ્રોબેશનરી આઈ. એ. એસ. નિશા ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી અનસુયા ઝા, દક્ષિણ વન વિભાગના નાયબ વનસંરક્ષકશ્રી ઋષિરાજ પુવાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકો સર્વ એ. કે. વર્મા અને બી. એન. દવે, પારડીના પ્રાંત અધિકારી ડી. જે. વસાવા, વલસાડ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન. એન. પટેલ, તથા વલસાડ, પારડી, ધરમપુર, વાપી અને ઉમરગામ નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાંથી 39 ખેલાડીઓની કરવામાં આવેલી પસંદગી

vartmanpravah

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

vartmanpravah

Leave a Comment