કોર્ટમાં હાજર રહેવાની મુક્તિમાંથી નહીં મળેલી કોઈ રાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પૂર્વ પ્રશાસક સત્ય ગોપાલ આજે એક ક્રિમિનલ બદનક્ષીના કેસમાં દમણ કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમને જામીન મળ્યા હતા પરંતુ હાજર રહેવાની મુક્તિમાંથી તેમને કોઈ રાહત નામદાર અદાલત દ્વારા આપવામાં નહીં આવીહતી. હવે તેમને અદાલતની કાર્યવાહી દરમિયાન દરેક તારીખ ઉપર હાજર રહેવું પડશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે માન્યતા પ્રાપ્ત પત્રકાર શ્રી સતિષ શર્મા દ્વારા પૂર્વ પ્રશાસક સત્ય ગોપાલ વિરૂદ્ધ એક ક્રિમિનલ બદનક્ષીનો કેસ દમણ ન્યાયાલયમાં 2012માં દાખલ કરાયો હતો. જેની સુનાવણી દમણના વિદ્વાન જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ ચાલી રહી છે.