(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં પડતા શહેર તેમજ ગ્રામ્યના માર્ગોનું ધોવાણ થયું છે. જેના કારણે આમ જનતાને રોજીદા આવવા-જવા માટે વાહનવ્યવહાર માટે મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરના સુચારુ માર્ગદર્શન હેઠળ વાંસદા તાલુકાના કુરેલીયા બારતાડ રોડ, જામનપાડા, તોરણવેરા, ઢોલુમ્બર, બારતાડ ભિનાર રોડ સહિત બીજા અન્ય માર્ગોની માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરાઇ છે. જેના લીધે ગ્રામજનોને રોજબરોજની અવરજવરમાં રાહત મળશે.