October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

  • ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જરની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

  • પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલે પણ કાર્યકરોને આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.21 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આજે સેલવાસ ખાતે અટલ ભવનમાં સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જરે વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્‍યું હતું.
સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત સદસ્‍યતા અભિયાન કાર્યશાળામાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આજની કાર્યશાળામાં વિડીયો અને પીપીટીના માધ્‍યમથી ઉપસ્‍થિત કાર્યકર્તાઓને સદસ્‍યતા અભિયાન અંગે વિસ્‍તારથી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આજની કાર્યશાળાને ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જર, પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલેપોતાના સંબોધનમાં સદસ્‍યતા અભિયાન અંગે માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
આજે સદસ્‍યતા અભિયાન અંતર્ગત મિસ્‍ડકોલ નંબર 8800002024નું પણ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું અને આ રાષ્‍ટ્રીય નંબર ઉપર 1 સપ્‍ટેમ્‍બર, 2024થી મિસ્‍ડકોલ કરી ભાજપનું સભ્‍યપદ ગ્રહણ કરી શકાય છે.

Related posts

તા.૩૦મીએ પારડી ખાતે સુશાસન સપ્‍તાહ અંતર્ગત રોજગાર/એપ્રેન્‍ટીસ એનાયતપત્ર વિતરણ કરાશે

vartmanpravah

સેલવાસમાં રોહિત સમાજ દ્વારા રક્‍તદાન અને તબીબી તપાસ શિબિર યોજાઈ: 500થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભઃ 165 યુનિટએકત્રિત કરાયેલું રક્‍ત

vartmanpravah

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah

પંચાયતની વિશેષ ગ્રામસભામાં આટિયાવાડ ગ્રા.પં.ને લોક ભાગીદારીથી કુપોષણ મુક્‍ત બનાવવાનો સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

ધરમપુર કપરાડા વિસ્‍તારની સરકારી સ્‍કૂલના 79 પટાવાળા 4 મહિનાથી પગારથી વંચિત રહેતા કલેકટરમાં ફરિયાદ કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઈંચથી વધુ વરસાદઃ દપાડામાં વૃક્ષ ઉખડી વીજ વાયર ઉપર પડતાં તૂટી પડેલા વાયરથી વ્‍યક્‍તિને કરંટ લાગતા ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

Leave a Comment