August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

  • ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જરની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

  • પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલે પણ કાર્યકરોને આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.21 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આજે સેલવાસ ખાતે અટલ ભવનમાં સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જરે વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્‍યું હતું.
સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત સદસ્‍યતા અભિયાન કાર્યશાળામાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આજની કાર્યશાળામાં વિડીયો અને પીપીટીના માધ્‍યમથી ઉપસ્‍થિત કાર્યકર્તાઓને સદસ્‍યતા અભિયાન અંગે વિસ્‍તારથી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આજની કાર્યશાળાને ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જર, પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલેપોતાના સંબોધનમાં સદસ્‍યતા અભિયાન અંગે માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
આજે સદસ્‍યતા અભિયાન અંતર્ગત મિસ્‍ડકોલ નંબર 8800002024નું પણ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું અને આ રાષ્‍ટ્રીય નંબર ઉપર 1 સપ્‍ટેમ્‍બર, 2024થી મિસ્‍ડકોલ કરી ભાજપનું સભ્‍યપદ ગ્રહણ કરી શકાય છે.

Related posts

2024 લોકસભા ચૂંટણી દાનહ અને દમણ-દીવ માટે ભાગ્‍ય ઉઘાડનારી અને વિશ્વ સ્‍તરે ડંકો વગાડનારી બની રહેશે

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીની હરિયા હોસ્‍પિટલમાં બ્રેઈનડેડ દર્દીના પાંચ અંગ દાન કરાયાઃ પાંચ લોકોને મળશે જીવનદાન

vartmanpravah

વલસાડ પારનેરા પારડી ગામે મોબાઈલ ટાવરના વિરોધ માટે લોકોએ મહિલા સરપંચનો ઘેરાવ કર્યો

vartmanpravah

Leave a Comment