July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

  • ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જરની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

  • પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલે પણ કાર્યકરોને આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.21 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આજે સેલવાસ ખાતે અટલ ભવનમાં સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જરે વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્‍યું હતું.
સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત સદસ્‍યતા અભિયાન કાર્યશાળામાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આજની કાર્યશાળામાં વિડીયો અને પીપીટીના માધ્‍યમથી ઉપસ્‍થિત કાર્યકર્તાઓને સદસ્‍યતા અભિયાન અંગે વિસ્‍તારથી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આજની કાર્યશાળાને ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જર, પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલેપોતાના સંબોધનમાં સદસ્‍યતા અભિયાન અંગે માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
આજે સદસ્‍યતા અભિયાન અંતર્ગત મિસ્‍ડકોલ નંબર 8800002024નું પણ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું અને આ રાષ્‍ટ્રીય નંબર ઉપર 1 સપ્‍ટેમ્‍બર, 2024થી મિસ્‍ડકોલ કરી ભાજપનું સભ્‍યપદ ગ્રહણ કરી શકાય છે.

Related posts

દાનહમાં શરૂ થઈ શૈક્ષણિક ક્રાંતિઃ આદિવાસી બાળકોના ડોક્ટર ઍન્જિનિયર બનવાના સપના સાકાર

vartmanpravah

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

Leave a Comment