Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

સંઘપ્રદેશના પ્રશાસક દ્વારા નાની દમણ બસ સ્‍ટેન્‍ડની સામે નિર્મિત એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબ હાઉસના સભ્‍ય બનવા ઉદ્યોગપતિઓને કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની આજે મળેલી સામાન્‍ય સભામાં આગેવાન ઉદ્યોગપતિ શ્રી કાયરસ દાદાચનજીએ પોતાની કંપની દ્વારા ડીઆઈએના હોલને એસી બનાવવાની જાહેરાત કરી હતી. જેને તાળિઓના ગડગડાટથીવધાવી લેવામાં આવી હતી.
શ્રી કાયરસ દાદાચનજીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા નાની દમણ એસ.ટી. બસ સ્‍ટેન્‍ડની બાજુમાં નિર્મિત ક્‍લબનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, હું મુંબઈની ઘણી બધી એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબનો સભ્‍ય છું. અહીંયા બનેલ ક્‍લબ મુંબઈની એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી ક્‍લબથી જરાપણ ઓછી નહીં હોવાની જાણકારી આપી હતી અને તમામ ઉદ્યોગપતિઓને કોર્પોરેટ મેમ્‍બરશીપ અથવા વ્‍યક્‍તિગત રીતે સભ્‍ય બનવા પ્રેરિત કર્યા હતા. તેમણે અહીં રીક્રિએશન સહિત પરિવાર સાથે પણ આનંદ-પ્રમોદ કરવાની સુવિધા હોવાની જાણકારી આપી હતી.

Related posts

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયતમાં સત્તા સ્‍થાને પ્રથમવાર વાપી તાલુકાને સ્‍થાન મળ્‍યું

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં છેતરી બાબતે ઠપકો આપવા ગયેલ પરિવારના હાથ-પગ તોડી નાખ્‍યા

vartmanpravah

દમણ ખાતે વિશ્વ માછીમારી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

Leave a Comment