April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

દમણ-દીવ અને લક્ષદ્વીપ સમુદ્ર સાથે જોડાયેલા પ્રદેશો હોવાથી કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલ સાથેની પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મુલાકાતનું વધેલું મહત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.05
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે દિલ્‍હી ખાતે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી વિવિધ મહત્‍વના મુદ્દાઉપર ચર્ચા-વિચારણા પણ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દમણ અને દીવ તથા લક્ષદ્વીપનો મોટો હિસ્‍સો સમુદ્ર સાથે જોડાયેલો છે. હાલમાં જળમાર્ગે લક્ષદ્વીપના આવન-જાવન માટે કેરલા ઉપર આધાર રાખવો પડે છે. જ્‍યારે દીવ અને દમણ વચ્‍ચે જળમાર્ગે ટ્રાન્‍સપોર્ટેશનનો પ્રસ્‍તાવ વિચારાધીન છે. ત્‍યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની જહાજ બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલ સાથેની મુલાકાતનું પ્રદેશના વિકાસ માટે ખુબ જ મહત્‍વ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે રવિવારે રાતે યમદૂત બન્‍યો : બે જુદા જુદા અકસ્‍માતમાં ત્રણના મોત

vartmanpravah

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મરવડગ્રા.પં.ના સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

આજથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાંમાસ્‍ક પહેરવાનું ફરજીયાત કરાયું

vartmanpravah

Leave a Comment