January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

દમણ-દીવ અને લક્ષદ્વીપ સમુદ્ર સાથે જોડાયેલા પ્રદેશો હોવાથી કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલ સાથેની પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મુલાકાતનું વધેલું મહત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.05
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે દિલ્‍હી ખાતે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી વિવિધ મહત્‍વના મુદ્દાઉપર ચર્ચા-વિચારણા પણ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દમણ અને દીવ તથા લક્ષદ્વીપનો મોટો હિસ્‍સો સમુદ્ર સાથે જોડાયેલો છે. હાલમાં જળમાર્ગે લક્ષદ્વીપના આવન-જાવન માટે કેરલા ઉપર આધાર રાખવો પડે છે. જ્‍યારે દીવ અને દમણ વચ્‍ચે જળમાર્ગે ટ્રાન્‍સપોર્ટેશનનો પ્રસ્‍તાવ વિચારાધીન છે. ત્‍યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની જહાજ બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલ સાથેની મુલાકાતનું પ્રદેશના વિકાસ માટે ખુબ જ મહત્‍વ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પરેડ યોજાઈ

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે જમીનના અભાવે આંગણવાડીના ભૂલકાંઓ ઘરના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

વાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈ

vartmanpravah

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

vartmanpravah

Leave a Comment