October 2, 2023
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં ચીખલીપાડાની ટીમ વિજેતા બની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના દિશા-નિર્દેશમાં રમતગમત અને યુવા વિભાગ દ્વારા 14 વર્ષથી ઓછી વયની આંતર જિલ્લા સ્‍તરીય ફૂટબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રાથમિક મરાઠી શાળા ચીખલીપાડાની ટીમ વિજેતા બની હતી.
પ્રાથમિક મરાઠી શાળા ચીખલીપાડાની ટીમે દમણ અને દીવ જિલ્લાની ફૂટબોલ રમતમાં હરાવી આંતર જિલ્લા 14 વર્ષથી ઓછી વયની ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં દાનહ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્‍વ કરતી વિજેતા ટીમ સપ્‍ટેમ્‍બરના છેલ્લા સપ્તાહમાં દિલ્‍હીમાં યોજાનારી 14 વર્ષથી ઓછી વયની સુબ્રોતો મુખર્જી ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે. આવી ટુર્નામેન્‍ટમાં ભાગ લેવાથી યુવા પ્રતિભાઓને તેમની ક્ષમતા પ્રદર્શિત કરવા માટે એક મંચ પુરુ પાડે છે. વિજેતા ટીમને સંઘપ્રદેશ પ્રશાસન જિલ્લા પંચાયત દ્વારા અભિનંદન અને દીલ્‍હીમાં આગામી સુબ્રતો મુખર્જી ટુર્નામેન્‍ટમા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે એવી શુભકામનાઓ પાઠવીહતી.

Related posts

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા સ્‍ટેડીયમ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

Leave a Comment