March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

સરીગામના સપૂત અને સ્‍વતંત્ર સેનાની સ્‍વ.પાનાચંદ તલકચંદ શાહ અને સ્‍વ.રામચંદ્ર હરિહર ભટ્ટે આઝાદીની લડાઈમાં આપેલા યોગદાનબદલ યાદ કરી એમના પરિવારોનું કરવામાં આવેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતની આગેવાની અને તલાટી કમ મંત્રી શ્રી વિરલભાઈ પટેલના સંચાલન હેઠળ આદર્શ બુનિયાદી શાળા સરીગામ અને પ્રાથમિક શાળા ભંડારવાડ ખાતે આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મિટ્ટી કો નમન વીરો કો વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતના હસ્‍તે દેશભક્‍તોની સ્‍મૃતિમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું. તેમજ વૃક્ષારોપણ કરી ધ્‍વજ વંદનના કાર્યક્રમ સાથે દેશને સ્‍વતંત્રતા અપાવનારા વીરોને યાદ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે સરીગામના સપૂત અને આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્‍વતંત્ર સેનાની સ્‍વ.શ્રી રામચંદ્ર હરીહર ભટ્ટ અને સ્‍વ.શ્રી પાનાચંદ તલકચંદ શાહને યાદ કરી એમના પરિવારોને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સ્‍વ.શ્રી પાનાચંદ તલકચંદ શાહના પુત્ર શ્રી લલીતભાઈ શાહ અને પૌત્ર ડોક્‍ટર નીરવભાઈ શાહને સાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કર્યા હતા. અને સ્‍વ.શ્રી રામચંદ્ર હરિહર ભટ્ટના પરિવારને એમના નિવાસસ્‍થાને સન્‍માનપત્ર પહોંચતું કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ધર્મેશભાઈ પટેલ, સરીગામના આગેવાન શ્રીરાકેશભાઈ રાય, ઉપસરપંચ શ્રી સંજયભાઈ બાગડા, ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ લઘુમતી મોરચા મંત્રી શ્રી અસલમભાઈ સહિત શાળાના શિક્ષકગણ અને ગ્રામજનોની હાજરી જોવા મળી હતી.

Related posts

કપરાડા જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈ નિકળેલ યુવાન ગુમ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

vartmanpravah

સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જે કહ્યું તે કર્યું: પોતાની કલ્‍પનાના પ્રદેશ નિર્માણ માટે અનેક વિટંબણા સાથે બાથ ભીડી દાનહ અને દમણ-દીવની કાયાપલટ માટે મેળવેલી સફળતા

vartmanpravah

‘સ્‍મૃતિ દિવસ’ નિમિતે દાનહ-દમણ-દીવ પોલીસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શહિદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

Leave a Comment