April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

ચાલકની સમય સુચકતા કારગત નિવડી :
બાળકોના પુસ્‍તક-દફતર બળી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ અતુલ બ્રિજ નીચે આજુ ગુરૂવારે બપોરે એક ખાનગી સ્‍કૂલ વાન ચાલુ હાલતમાં અચાનક આગ ભભૂકી ઉટી હતી. ચાલકની સમય સુચકતા આધિન બે બાળકો અને ચાલકનો બચાવ થવા પામ્‍યો હતો.
દીલધડક આગાની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે અતુલ બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાન સમયસર સ્‍કૂલમાંથી બાળકો ભરીને નિકળી હતી. વચ્‍ચે અમુક બાળકો ઉતરી ગયા હતા. છેલ્લે બે બાળક અને ચાલક વાનમાં બેઠા હતા. વાન નં.જીજે 05 સીએચ 0632 અતુલ બ્રિજ નીચેથી પસાર થતીહતી. ત્‍યાં ચાલુ વાને અચાનક એન્‍જિનના ભાગે આગ ભભૂકી ઉઠી હતી. ચાલકે સમય સુચકતા વાપરી બે બાળકો અને પોતે નીચે ઉતરી જતા સલામત બચાવ થયો હતો. આગની જાણ થતા અતુલ કંપનીનું ફાયર ફાઈટર ઘટના સ્‍થળે આવી આગ બુઝાવી હતી. આગમાં બાળકોના દફતર અને પુસ્‍તકો બળીને ખાખ થઈ ગયા હતા.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર ટેમ્‍પોચાલકે મોપેડ સવારને મારેલી ટક્કર

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

vartmanpravah

પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર દાનહ સહિતની ખાલી પડેલી લોકસભાની બેઠકોની પેટા ચૂંટણી હવે જાન્યુ./ફેબ્રુ. સુધી લંબાવાની સંભાવના

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

સેવામાં નિષ્‍કામ ભાવ જરૂરી : સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

vartmanpravah

Leave a Comment