October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.10: 9 ઓગસ્‍ટ વિશ્વ આદિવાસી દિવસ. માનવ ચાંદ ઉપર પહોંચી ગયો છે પણ તે પ્રકૃતિ અને કુદરતનાં ખોળે જ્‍યારે પણ રજા મળે ત્‍યારે આરામની પળો શોધે છે અને ત્‍યાં તેને જવું પડે છે. આધુનિક યુગમાં જ્‍યાં આજનો માનવી પ્રકૃતિનાં ખોળે વિસામો લેવા જાય છે તે છે આદિવાસી. આગળ જઈએ તો આદિમાનવ એટલે પૃથ્‍વી ઉપર જીવનસૃષ્ટિની ઉત્‍પત્તિથી સર્જાયેલા બીજા કોઈ નહિ પણ આપણે જ છીએ. કાળક્રમે વિકસતાં જતાં આજે આપણે આદિમાનવ, આદિવાસી, ગ્રામજન કે શહેરીજન બની ગયા છીએ. પણ દેશમાં હજી 10 કરોડથી વધુ એવાં લોકો છે જેને પોતાની પ્રકૃતિ, કુદરત, નિસર્ગ, નદી, પહાડ, ઝરણાં, નદી, જમીન અને જંગલને છોડયા નથી. તેઓ આજે પણ કુદરત વચ્‍ચે નૈસર્ગિક જીવન જીવે છે. તેઓ કુદરતનાં સમીપ અને પ્રકૃતિ વચ્‍ચે જ રહે છે.
ગુજરાતમાં અંબાજીથી લઈ આહવા – ઉમરગામ સુધી આદિવાસી પટ્ટી આવેલી છે. આ જિલ્લામાં તેઓની પરંપરા, પહેરવેશ, ઉત્‍સવ, પ્રાકૃતિક ઈલાજ, માન્‍યતા, સંસ્‍કૃતિ, વાદ્યો, મેળા, રીતિરિવાજ આજે પણ આપણા માટે એક પહેલી અને આヘર્ય જ છે. વિશ્વમાં 195 દેશોમાંથી 90 દેશોમાં 5000 જેટલાં આદિવાસીઓનાં સમુદાયવસે છે. આદિવાસીઓની આવી અનેકવિધ હકીકતોથી ભાવિ પેઢી માહિતગાર થાય એ અનુસંધાને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાપી તાલુકાની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બિરસા મુંડાનાં જીવનમાંથી પ્રેરણા લેવા બાળકોએ વેશભૂષા, સાંસ્‍કૃતિક નૃત્‍ય અને ચિત્ર સ્‍પર્ધામાં ભાગ લીધો. જય આદિવાસીનાં નારાથી સમગ્ર શાળા પરિસર ગૂંજી ઉઠ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 55 ઈંચ અને સૌથી ઓછો પારડીમાં 45 ઈંચ

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

vartmanpravah

Leave a Comment