April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

ચાર દિવસીય તાલીમમાં એફ.સી.એલ.ની ટીમે બાળકોની આગામી દશા અને દિશા શીખવાની ક્ષમતા, શીખવાના અવસર, બાળકોને સાંભળવું અને એમને સમજાવવું, બાળકો સાથે બાળક બની રમવું અને એમને સ્‍વતંત્ર રૂપે રમવાનો અવસર પ્રદાન કરવા જેવા મહત્‍વપૂર્ણ ક્ષેત્રોમાં તાલીમના માધ્‍યમથી માર્ગદર્શકો સુધી પોતાની વાતને સમજવાનો કરેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : ‘સમગ્ર શિક્ષા’ના સામર્થ્‍ય કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ‘પરિપોષણ દેખભાળ માટે નેતૃત્‍વ’ વિષય ઉપર આધારિતપૂર્વ પ્રાથમિક શિક્ષકો માટેની માર્ગદર્શક ચાર દિવસીય કાર્યશાળાનું આજે સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે સમાપન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુબજ સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલના નેતૃત્‍વમાં ફાઉન્‍ડેશન ઓફ કમ્‍યુનિટી લર્નિંગ એનજીઓના સહયોગથી પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કાર્યશાળાનો શુભારંભ 07 ઓગસ્‍ટના રોજ આરંભ કરવામાં આવ્‍યો હતો. જેનો શુભારંભ શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલના ઉદ્‌બોધનથી આરંભ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે સહાયક રાજ્‍ય પરિયોજના નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લા દ્વારા માર્ગદર્શક ઈસીસીઈ રિસોર્સ પરસન અને બી.આર.સી. સમન્‍વયકોને સંબોધિત કરવામાં આવ્‍યા હતા. ચારથી છ વર્ષના નાના બાળકોની સમજને વિકસિત કરવા માટે ચાર દિવસીય આ કાર્યશાળાનું પ્રમુખ લક્ષ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષકોને પ્રશિક્ષણ અને ક્ષમતા નિર્માણ માટે સુદૃઢ માર્ગદર્શક તરીકે તૈયાર કરવાનો હતો. જેથી પૂર્વ પ્રાથમિક શિક્ષકો પોતાના માર્ગદર્શનથી બાળકોની સૌથી સંવેદનશીલ ઉંમરમાં સુદૃઢ મસ્‍તિષ્‍કનું નિર્માણ કરી પ્રેરિત કરી શકે.
આ અવસરે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્‍વને સ્‍પષ્ટ કરતા એફ.સી.એલ.ની ટીમે બાળકોની આગામી દશા અને દિશા શીખવાની ક્ષમતા, શીખવાના અવસર, બાળકોને સાંભળવું અને એમને સમજાવવું, બાળકો સાથે બાળક બની રમવુંઅને એમને સ્‍વતંત્ર રૂપે રમવાનો અવસર પ્રદાન કરવા જેવા મહત્‍વપૂર્ણ ક્ષેત્રોમાં તાલીમના માધ્‍યમથી માર્ગદર્શકો સુધી પોતાની વાતને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. આ ચાર દિવસીય કાર્યશાળામા કુલ 31 માર્ગદર્શક તૈયાર કરવામાં આવ્‍યા છે જેઓ આગલા એક મહિના સુધી પૂર્વ પ્રાથમિક કક્ષાએ જઈ બાળકો સાથે કાર્યશાળામાં શીખેલ અનુભવોના આધારે કાર્ય કરશે. જેમાં તેઓ બાળકોનું સ્‍વાગત, મુક્‍ત રમતગમત, પ્રાર્થના અને બાળગીત જેવા બિંદુઓનો વિશેષ રૂપે સમાવેશ થાય છે.
કાર્યશાળાના સમાપન સત્રમાં એફ.સી.એલ.ના નિર્દેશક શ્રી ચિતરંજન દ્વારા દરેક માર્ગદર્શકોને બાળકોની દુનિયા અંગે ઉદ્‌બોધન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દાનહ જિ.પં.ના સીઈઓ ડો. અપૂર્વ શર્મા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારી દ્વારા પણ દરેક તાલીમાર્થી માર્ગદર્શકોને સંબોધિત કર્યા હતા. એમના સંબોધનમાં બાળકોને લાડ દુલાર, પ્રેમભાવ, અપનાપન અને એક માઁની મમતા અને કરુણાભાવથી સ્‍પષ્ટ કરવામાં આવ્‍યા હતા. તાલીમાર્થી માર્ગદર્શકો દ્વારા પૂર્વ પ્રાથમિક કક્ષામાં આગામી દિવસોમાં સુંદર કાર્ય કરવામાં આવશે અને એક મજબૂત પાયાનું નિર્માણ કરવામાં આવશે જે પર્વતની જેમ અટલ અને અડગ હોય.
એફ.સી.એલ.ના તત્‍વાધાનમાં આયોજીત આ કાર્યશાળાનું સફળ સંચાલન વ્‍યવસ્‍થાપક શ્રીમતીશિખા અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દમણના દેવકાને મળેલો ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ’નો કાંસ્‍ય એવોર્ડઃ ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે દમદાર દમણનો વાગેલો ડંકો

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

‘દીવ બીચ ગેમ્‍સ-2024’માં ખાનવેલ શાળાના વિદ્યાર્થીઓએ મલખમ્‍બ સ્‍પર્ધામાં રજત પદક જીતેલા વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment