(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવમાં શાળાના આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં મહાવીર આયુર્વેદિક એન્ડ ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર નીરવ સી. શાહ દ્વારા પોતાની સેવા પ્રદાન કરી દાંત એ મહત્વનું અંગ હોય તેની માવજત અને સંભાળ તેમજ દાંતમાં સડો થયો હોયતો તેના નિવારણ માટે દાંતોની નિયમિત સફાઈ કરવી જેમ કે સવારે ઊઠ્યા બાદ અને રાત્રે સૂતા પહેલા એમ બે વખત યોગ્ય પદ્ધતિથી દાંતની નિયમિત સફાઈ કરવી કે જેથી કરી દાંતોની અનેક સમસ્યાઓ અને વ્યાધિમાંથી મુક્ત રહી શકાય જેવી માહિતી ધોરણ 1 થી 12નાં તમામ બાળકોના દાંતોની વિનામૂલ્યે તપાસ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યાં હતાં.
આ અવસરે ડૉ.નીરવ શાહનો આચાર્યશ્રી તેમજ શિક્ષકગણો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ડેન્ટલ મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય લક્ષી સંભાળ રાખવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી તેમજ સંચાલક મંડળના સભ્યો તથા ડાયરેક્ટર શ્રી સતત ધ્યાન આપતા હોય છે.