March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની સ્‍થાપના 21-11-1943 ના રોજ અને સંસ્‍થાનાધ્‍યાના અનુરૂપ એને એક નામ આપ્‍યું હતું. શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ અનેતેનું મુખ્‍ય સૂત્ર રહ્યું હતું. શિક્ષણ એજ સમાજ ઉન્નતીનો સાચો પાયો છે. શિક્ષિતો અને શુભચિંતકોએ સ્‍થાપેલી આ સંસ્‍થા એ સમાજને શિક્ષિત બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું. હાલે શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘમાં અંદાજીત 12 શાખાઓ કાર્યરત છે.
જે આજરોજ શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ પારડી શાખાની વાર્ષિક સામાન્‍ય સભા ગામ ટુકવાડા શ્રી દુર્લભભાઈ માહ્યાવંશીને ત્‍યાં નિવાસસ્‍થાને મળી હતી. જેમાં પારડી શાખા સંઘના 15 સભ્‍યો હાજર રહ્યા હતા. જેમાં આજરોજ પારડી શાખા કારોબારી સમિતિની 2022-2025 ની નવી કમિટીની રચના કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ-શ્રી જીતેન્‍દ્ર શાંતિલાલ માહ્યાવંશી, ઉપ પ્રમુખ શ્રી રમેશભાઈ કે માહ્યાવંશી, સેક્રેટરી-ચેતનભાઈ પરમાર, સહ સિક્રેટરી-ભુપેન્‍દ્રભાઈ પરમાર, ખજાનચી-અરૂણભાઈ વજીરીયા, સલાહકાર- શ્રી દુર્લભભાઈ કે. માહ્યાવંશી, ઈન્‍ટર્નલ ઓડિટર- ડિમ્‍પલભાઈ ડી. પરમારની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં હાજર રહેલા તમામ સભ્‍યો (1) સંધ્‍યાબેન અરૂણભાઈ વજીરીયા, (2) અંબુભાઈ સોમાભાઈ રાઠોડ, (3) દિલીપભાઈ બી. પરમાર, (4) અશ્વિનભાઈ એન. મિષાી, (5) બીપીનભાઈ એન. પરમાર, (6) પ્રવીણભાઈ એમ. માહયાવંશી, (7) નિર્મળાબેન એન. માહ્યાવંશી મંજૂરી આપી હતી. આ રચનામાં શ્રી શિક્ષણ પ્રચારક સંઘના સેન્‍ટ્રલઝોનના ચૂંટણી અધિકારી તરીકે અરૂણભાઈ પી. પટેલ ઉપ પ્રમુખ સેન્‍ટ્રલ ઝોન- હેમંત આર. મોગદિયા.. મહામંત્રી સી.ઓ. સુભાષભાઈ બારોટ, સહમંત્રી સી.ઓ.ની હાજરીમાં આ કમિટીની રચના પૂર્ણ થઈ હતી.

Related posts

અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત ચીખલી તાલુકાના ગોડથલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સંજયભાઈ પ્રવીણભાઈ પટેલને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવ્યો

vartmanpravah

” કુપોષણ મુક્ત નવસારી જિલ્લો બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીએ: કલેકટર અમિત પ્રકાશ યાદવ

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

પારડીમાં સાળંગપુરના હનુમાન દાદાના રથની પધરામણી

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

Leave a Comment