October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપીસેલવાસ

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : દાદરા નગર હવેલી અને દમણ-દીવનાપ્રશાસકશ્રીના દિશાનિર્દેશ અનુસાર સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગામ તરફ’ રખોલી પંચાયત ઘર ખાતે સાયલી, મસાટ, સામરવરણી ગામના લોકોને સરકારની વિવિધ સેવાઓ ઘરઆંગણે જ મળી રહે તે માટે ‘પ્રશાસન ગામ તરફ’શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં મામલતદાર વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત વિભાગ, જમીન સંપાદન વિભાગ, જમીન સુધારણાં વિભાગ, કોષ વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, જિલ્લા પંચાયત, સમાજ કલ્‍યાણ વિભાગ, શ્રમ વિભાગ, ચૂંટણી વિભાગ, ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, ટપાલ વિભાગ, કળષિ વિભાગ, પશુપાલન વિભાગ, બેંક ઓફ બરોડા, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ, સડક પરિવહન વિભાગ, શિક્ષણ વિભાગ અને આધારકાર્ડ વિભાગ દ્વારા વિવાદિત મામલામાં માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું અને વિવિધ પ્રશાસનિક સેવાઓ આપવામાં આવી હતી. જેમાં અંદાજીત 1850થી વધુ લાભાર્થીઓએ ઉપસ્‍થિત રહી લાભ લીધો હતો.
આ શિબિરમાં દાનહ પ્રશાસનના વિવિધ વિભાગોમાં કુલ 1344 અરજીઓનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો હતો જેમાંથી 721 લાભાર્થીઓને સ્‍થળ પર જ સેવાઓ આપવામાં આવી. આ અવસરે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, નિવાસી નાયબ કલેક્‍ટર અને ઉપ જિલ્લા મેજીસ્‍ટ્રેટ સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી ડો.અપૂર્વ શર્મા, રખોલી વિભાગના જિ.પં. સભ્‍ય અને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી દિપકકુમાર છોટુભાઈ પ્રધાન, રખોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચંદનબેન દિનેશભાઈ પટેલ, પંચાયતના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી એલસીબી પોલીસે હોન્‍ડ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડયોઃ રૂા. 15.07 લાખો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

યુઆઈએને હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

Leave a Comment