December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપીસેલવાસ

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : દાદરા નગર હવેલી અને દમણ-દીવનાપ્રશાસકશ્રીના દિશાનિર્દેશ અનુસાર સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગામ તરફ’ રખોલી પંચાયત ઘર ખાતે સાયલી, મસાટ, સામરવરણી ગામના લોકોને સરકારની વિવિધ સેવાઓ ઘરઆંગણે જ મળી રહે તે માટે ‘પ્રશાસન ગામ તરફ’શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં મામલતદાર વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત વિભાગ, જમીન સંપાદન વિભાગ, જમીન સુધારણાં વિભાગ, કોષ વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, જિલ્લા પંચાયત, સમાજ કલ્‍યાણ વિભાગ, શ્રમ વિભાગ, ચૂંટણી વિભાગ, ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, ટપાલ વિભાગ, કળષિ વિભાગ, પશુપાલન વિભાગ, બેંક ઓફ બરોડા, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ, સડક પરિવહન વિભાગ, શિક્ષણ વિભાગ અને આધારકાર્ડ વિભાગ દ્વારા વિવાદિત મામલામાં માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું અને વિવિધ પ્રશાસનિક સેવાઓ આપવામાં આવી હતી. જેમાં અંદાજીત 1850થી વધુ લાભાર્થીઓએ ઉપસ્‍થિત રહી લાભ લીધો હતો.
આ શિબિરમાં દાનહ પ્રશાસનના વિવિધ વિભાગોમાં કુલ 1344 અરજીઓનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો હતો જેમાંથી 721 લાભાર્થીઓને સ્‍થળ પર જ સેવાઓ આપવામાં આવી. આ અવસરે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, નિવાસી નાયબ કલેક્‍ટર અને ઉપ જિલ્લા મેજીસ્‍ટ્રેટ સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી ડો.અપૂર્વ શર્મા, રખોલી વિભાગના જિ.પં. સભ્‍ય અને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી દિપકકુમાર છોટુભાઈ પ્રધાન, રખોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચંદનબેન દિનેશભાઈ પટેલ, પંચાયતના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરાયેલા સંઘપ્રદેશના એનઆઈએફટી-દમણ કેમ્‍પસમાંથી 10 વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી આઉટરીચ કોર્સની તાલીમ

vartmanpravah

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની કરેલી છેતરપીંડી

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

Leave a Comment